AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમળાની ખેતી, એક વખત લગાવો છોડ વર્ષો સુધી થશે કમાણી, ખેતી વિશે જાણો આ ખાસ 5 બાબત

Amla Cultivation: આમળાની ખેતી શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં થાય છે. સંપૂર્ણ વિકસિત આમળાના ઝાડમાં 0 થી 46 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનને સહન કરવાની ક્ષમતા હોય છે.

આમળાની ખેતી, એક વખત લગાવો છોડ વર્ષો સુધી થશે કમાણી, ખેતી વિશે જાણો આ ખાસ 5 બાબત
Amla Farming (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:10 PM
Share

આપણા દેશમાં આમળા(Amla)ની ખેતી શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં થાય છે. સંપૂર્ણ વિકસિત આમળાના ઝાડમાં 0 થી 46 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનને સહન કરવાની ક્ષમતા હોય છે. એટલે કે, ગરમ વાતાવરણ ફૂલની કળીઓ નીકળવામાં મદદ કરે છે.

જુલાઇથી ઓગસ્ટ માસમાં વધુ પડતા ભેજને કારણે નાના સુષુપ્ત ફળો ઉગે છે, જ્યારે વરસાદના દિવસોમાં ઝાડ પરથી વધુ ફળો ખરી પડે છે, જેના કારણે નવા નાના ફળો નીકળવામાં વિલંબ થાય છે.

ફળ વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.સિંઘ કહે છે કે રેતાળ જમીનથી લઈ માટીની જમીનમાં આમળાની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. આમળાની ખેતી માટે ખાડાની ઉંડાઈ 10 ફૂટ x 10 ફૂટ અથવા 10 ફૂટ x 15 ફૂટ ખોદવામાં આવે છે, છોડ રોપવા માટે 1 ઘન મીટર કદનો ખાડો ખોદવો જોઈએ.

ખાડાઓને 15-20 દિવસ સુધી સૂર્યપ્રકાશ ખાવા માટે છોડી દેવો જોઈએ, ત્યારબાદ દરેક ખાડામાં 20 કિલો વર્મી કમ્પોસ્ટ અથવા કમ્પોસ્ટ ખાતર(compost manure), 1-2 કિલો લીમડાની પેક અને 500 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર (Trichoderma Powder) ભેળવવો જોઈએ.

ખાડો ભરતી વખતે 70 થી 125 ગ્રામ ક્લોરોપીરીફોસ ડસ્ટ (chloropyrifos dust) પણ ભરવી જોઈએ. આ ખાડાઓ મે મહિનામાં પાણીથી ભરવા જોઈએ, જેમાં ખાડો ભરવાના 15 થી 20 દિવસ પછી જ છોડનું વાવેતર કરવું જોઈએ.

સારા ઉત્પાદન માટે આ જાતો શ્રેષ્ઠ

નરેન્દ્ર દેવ કૃષિ યુનિવર્સિટી, ફૈઝાબાદ દ્વારા આમળાની ઘણી પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે, ખેડૂતો સારા ઉત્પાદન માટે આ જાત વધુ લગાવે છે. જેમાં નરેન્દ્ર અને કચવ કૃષ્ણ હાલ સૌથી વધુ પ્રચલિત છે.

વાવેતર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખો

આમળામાં પરાગનયન ચાલુ હોય છે તેથી મહત્તમ ઉપજ માટે, ઓછામાં ઓછી 3 આમળાની જાતોના છોડ 2: 2: 1 ના ગુણોત્તરમાં રોપવા જોઈએ. ઉદાહરણ તરીકે, શ્રેષ્ઠ પરિણામો માટે નરેન્દ્ર-7ના 80 રોપા, કૃષ્ણના 80 અને કંચનના 40 રોપા એક એકરમાં રોપવા જોઈએ.

એક વર્ષ પછી, છોડને 5-10 કિ.ગ્રા. છાણનું ખાતર, 100 ગ્રામ નાઈટ્રોજન (nitrogen), 50 ગ્રામ ફોસ્ફરસ (Phosphorus) અને 80 ગ્રામ પોટાશ આપવું જોઈએ, આગામી દસ વર્ષ સુધી ઝાડની ઉંમરથી ગુણાકાર કરીને દસમા વર્ષે આપવામાં આવનાર ખાતરની માત્રા 50-100 ક્વિન્ટલ ગાયનું છાણ, 1 કિલો નાઇટ્રોજન, 500 ગ્રામ ફોસ્ફરસ અને 800 ગ્રામ પોટાશ પ્રતિ ઝાડ હશે.

પ્રથમ પિયત રોપા (Irrigation Planting)વાવ્યા પછી તરત જ કરવું જોઈએ, ત્યાર બાદ ઉનાળામાં છોડને જરૂરિયાત મુજબ 7-10 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. ઝાડની નિષ્ક્રિય અવસ્થામાં (ડિસેમ્બર-જાન્યુઆરી) અને ફૂલ આવ્યા પછી માર્ચમાં પિયત ન કરવું જોઈએ.

લાંબા ગાળાની કમાણી

આમળાનો કલમી છોડ રોપવાના ત્રીજા વર્ષે અને બીજુ(Biju)છોડ 6 થી 8 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે. કલમી છોડ 10 થી 12 વર્ષ પછી સંપૂર્ણ રીતે ફળ આપવાનું શરૂ કરે છે અને સારી જાળવણી સાથે વૃક્ષ 50 થી 60 વર્ષ સુધી ફળ આપે છે. પૂર્ણ વિકસિત આમળાનું ઝાડ એક થી ત્રણ ક્વિન્ટલ ફળ આપે છે. આ રીતે પ્રતિ હેક્ટર 15 થી 20 ટન ઉત્પાદન મેળવી શકાય છે. જેમાથી લાખોમાં કમાણી થઈ શકે છે.

આ પણ વાંચો: અહીં છે સરોગસીથી જન્મી 298 ગાય, જાણો કયા શહેરમાં સફળ બન્યો સરોગસી પ્રોજેક્ટ

આ પણ વાંચો: Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">