PM ધન ધાન્ય કૃષિ યોજનાને મોદી સરકારની મંજૂરી, ખેડૂતોને થશે આવો ફાયદો

PM ધન ધાન્ય કૃષિ યોજનાને મોદી સરકારની મંજૂરી, ખેડૂતોને થશે આવો ફાયદો

| Edited By: | Updated on: Jul 16, 2025 | 8:29 PM

મોદી સરકારે, ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં 'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના'ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ, દર વર્ષે 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 100 જિલ્લાઓમાં કૃષિ સુધારા કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.

મોદી કેબિનેટે ત્રણ મોટા નિર્ણયો લીધા છે. જે પૈકી ખેડૂતો માટે ‘પીએમ ધન-ધાન્ય યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત, દર વર્ષે 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચે, દેશના 100 જિલ્લાઓમાં કૃષિ સુધારા કરવામાં આવશે. બીજા મહત્વના નિર્ણયમાં NTPC ને નવીકરણ ઉર્જામાં 20 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે. જ્યારે ત્રીજા નિર્ણયમાં, સરકારે નવીકરણ ઉર્જામાં રોકાણ માટે NLCIL ને 7 હજાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપી છે.

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘પીએમ ધન-ધાન્ય યોજના’નો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, લણણી પછી સંગ્રહ ક્ષમતા વધારવા, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા અને ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે.

‘પીએમ ધન ધન્ય કૃષિ યોજના’ની ખાસ વિશેષતાઓ

  • 100 જિલ્લાઓને કૃષિ જિલ્લા તરીકે વિકસાવવામાં આવશે.
  • 100 જિલ્લાઓ (દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો) જે કૃષિના સ્તરે પાછળ છે તેમને વિકસાવવામાં આવશે.
  • 11 મંત્રાલયોની 36 યોજનાઓ અહીં સંકલિત રીતે અમલમાં મૂકવામાં આવશે.

આ 6 વર્ષની યોજના છે

  • દર વર્ષે 24000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
  • આ સિંચાઈ સુવિધાઓ વિકસાવવા અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે છે.
  • પાકની લણણી પછી સંગ્રહ અને ધિરાણની ઉપલબ્ધતા વધારવાનો છે.

ખેડૂત અને ખેતીને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો