AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોજોબાની ખેતી કરી સારી કમાણી કરી શકે છે ખેડૂતો, ભારત સહિત દુનિયા ભરમાં હંમેશા રહે છે માગ

જોજોબા એક વિદેશી તેલીબિયાં પાક છે. તેનું ઉત્પાદન એરિઝોના, મેક્સિકો અને દક્ષિણ કેલિફોર્નિયામાં લાંબા સમયથી થતું આવે છે. હવે ભારતમાં પણ તેની ખેતી થઈ રહી છે.

જોજોબાની ખેતી કરી સારી કમાણી કરી શકે છે ખેડૂતો, ભારત સહિત દુનિયા ભરમાં હંમેશા રહે છે માગ
jojoba cultivation (Image Credit Source: DD Kisan Video Grab)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:58 AM
Share

જોજોબા (Jojoba)એ વિદેશી મૂળનો છોડ છે. તેને હોહોબા તરીકે પણ ઓળખવામાં આવે છે. જોજોબાની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ માગ છે. તેની ખેતી હવે ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના ખેડૂતો (Farmers)જોજોબાના છોડનું વાવેતર કરી રહ્યા છે. આ એક રણ પ્રદેશનો છોડ છે. આ છોડને વધુ પાણીની જરૂર નથી. આપણા દેશમાં ઘણા વર્ષોથી તેલીબિયાંની ખેતી કરવામાં આવે છે. ભારતમાં સરસવ, રાઈ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખીમાંથી તેલ કાઢવામાં આવે છે. તેવી જ રીતે જોજોબા પણ એક વિદેશી તેલીબિયાં પાક છે. તેનું ઉત્પાદન એરિઝોના, મેક્સિકો અને દક્ષિણ કેલિફોર્નિયામાં લાંબા સમયથી થતું આવે છે. હવે ભારતમાં પણ તેની ખેતી થઈ રહી છે.

જોજોબા એક એવો છોડ છે, જેના બીજમાંથી 45 થી 55 ટકા તેલ કાઢવામાં આવે છે. તેના બીજ અડધા કરતાં વધુ તેલથી ભરેલા હોય છે. જોજોબાનું પ્રથમ કર્મિશિયલ વાવેતર ઇઝરાયેલમાં 1977માં શરૂ થયું હતું અને હવે તે મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. શરૂઆતમાં, લોકો વ્હેલ માછલીનો શિકાર કરીને તેલ કાઢતા હતા, જેના કારણે વ્હેલની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી શકે તેમ હતી. આ કારણોસર તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પછી અન્ય વિકલ્પોની શોધ શરૂ થઈ અને આ શોધ જોજોબા પર સમાપ્ત થઈ. જોજોબાની ખેતીમાંથી તેલ પુષ્કળ પ્રમાણમાં મળવા લાગ્યું.

જોજોબાની નિકાસ કરતા ભારતીય ખેડૂતો

જોજોબાની ખેતી ભારતમાં રાજસ્થાનમાં થાય છે. અહીંના ખેડૂતો જોજોબાની નિકાસ કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે. જોજોબાના ગુણધર્મોને કારણે વિદેશમાં તેની ખૂબ માગ છે. આગળ જતાં ભારતમાં તેની માગ ઝડપથી વધવાની શક્યતા છે. જોજોબા તેલની ઊંચી કિંમતને કારણે, કોસ્મેટિક કંપનીઓ હાલમાં તેનો ઉપયોગ તેમના ઉત્પાદનોમાં કરી રહી છે.

જોજોબા તેલ ગંધહીન અને ઉત્તમ ગુણવત્તાવાળું છે. જોજોબાના મહત્વને સમજીને, રાજસ્થાન સરકારે પણ તેનો ટેકો આપ્યો છે અને રાજસ્થાન જોજોબા પ્લાન્ટેશન રિસર્ચ પ્રોજેક્ટની સ્થાપના કરી છે. જોજોબાના બીજની પ્રક્રિયા કર્યા બાદ તેને દેશ-વિદેશમાં વેચવામાં આવે છે, જેના માટે પહેલા ખેતરમાંથી બીજ એકત્રિત કરવામાં આવે છે. પછી તેને છાયામાં સૂકવવામાં આવે છે. તેમના બીજને સૂકવવામાં સમય લાગે છે. જ્યારે ભેજ ત્રણ ટકા સુધી રહે છે, ત્યારે તેમની છાલ કાઢીને બોરીમાં ભરવામાં આવે છે.

જોજોબાની ખેતી સારી આવક આપી શકે છે

બીજને પ્રોસેસિંગ પ્લાન્ટમાં નાખીને પીસવામાં આવે છે. આ દરમિયાન તેલ બહાર આવવા લાગે છે. તેલને ચાળણી દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર કરેલ તેલને સ્ટેનલેસ સ્ટીલની ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે. આ પછી જરૂરિયાત મુજબ નાના-મોટા પેકિંગ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

જોજોબાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં, ભારત હવે અન્ય દેશોમાં પણ તેની નિકાસ કરી રહ્યું છે. એકંદરે, જોજોબાની ખેતી અદ્ભુત છે. તેને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે. વધતી માગને ધ્યાનમાં રાખીને, જોજોબાના ઘણા પ્રોસેસિંગ એકમો પણ સ્થાપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોની ઉપજની માગમાં પણ વધારો થવાની સંભાવના છે. જો ખેડૂતો જોજોબાનું વ્યવસાયિક ઉત્પાદન કરે તો તેઓ ચોક્કસપણે સારી આવક મેળવી શકે છે.

આ પણ વાંચો: Viral: ચાલતા-ચાલતા અચાનક પાણીમાં પણી ગયો સિંહ, લોકોએ કહ્યું નજર હટી દુર્ધટના ઘટી

આ પણ વાંચો: UP Assembly election : ઈતિહાસમાં લખાશે 2022ની યુપી ચૂંટણી, ઘણા નેતાઓની રાજનીતિ ખતમ થવા તરફ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">