AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેનો યુરિયાના વધુ ચાર પ્લાન્ટ ખોલશે IFFCO, પ્રમુખ દિલીપ સંઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક અંગે માહિતી આપતાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમે નેનો યુરિયાના ભવિષ્ય અને ઉત્પાદન વિશે વડાપ્રધાનને માહિતગાર કર્યા છે.

નેનો યુરિયાના વધુ ચાર પ્લાન્ટ ખોલશે IFFCO, પ્રમુખ દિલીપ સંઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
IFFCO President Dilip Sanghani meets Prime Minister Narendra Modi (PC- IFFCO)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:46 PM
Share

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના પ્રમુખ દિલીપ સંઘાણી (Dilip Sanghani)એ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાનને ઈફ્કોના કાર્યો વિશે જણાવ્યું. તે જ સમયે મીટિંગ દરમિયાન IFFCO પ્રમુખે ભારતીય ખેડૂતો માટે IFFCO દ્વારા અપનાવવામાં આવેલી યુરિયાની નેનો-ટેકનોલોજી આધારિત પહેલ IFFCO નેનો યુરિયાના ફાયદા વિશે પણ માહિતગાર કર્યા હતા. સાથે જ કહ્યું કે સંસ્થા નેનો યુરિયાના વધુ ચાર પ્લાન્ટ ખોલશે. આ બેઠક દરમિયાન IFFCO માર્કેટિંગના ડિરેક્ટર યોગેન્દ્ર કુમાર પણ હાજર હતા. સંઘાણીએ જણાવ્યું હતું કે IFFCOની નવી પ્રોડક્ટ નેનો યુરિયા ભારત અને અન્ય દેશોમાં ખૂબ જ લોકપ્રિય રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે તેના ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

ઈફકોના ચેરમેને કહ્યું કે નેનો યુરિયાના ઘણા ફાયદા છે. તે આર્થિક રીતે તેમજ પર્યાવરણને અનુકૂળ છે. સાથે જ તેનું પરિવહન પણ સરળ છે. તેમણે કહ્યું કે આનાથી ઉત્પાદનની ગુણવત્તામાં વધારો જોવા મળ્યો છે. દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ખરીફ અને રવિ સિઝન દરમિયાન દેશભરમાં વિવિધ ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓમાં વિવિધ પાકો પર નેનો આધારિત ઉત્પાદનોના ટ્રાયલ્સમાં સક્રિયપણે ભાગ લેનાર ખેડૂતોને આ લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. ભારતીય ખેડૂતોએ આ પરીક્ષણ પરિણામો સ્વીકાર્યા છે. તે જ સમયે IFFCO ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા પણ તેનો પ્રચાર કરી રહ્યું છે.

વધુ ચાર પ્લાન્ટ ખોલશે IFFCO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક અંગે માહિતી આપતાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમે નેનો યુરિયાના ભવિષ્ય અને ઉત્પાદન વિશે વડાપ્રધાનને માહિતગાર કર્યા છે. સંઘાણીના જણાવ્યા મુજબ IFFCO પાસે મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ નેનો યુરિયાનું ઉત્પાદન કરતા કુલ 5 પ્લાન્ટ હશે, જે સ્થાનિક અને વિદેશી બંને માંગને પહોંચી વળશે.

કયા ખુલશે નવા નેનો યુરિયાના પ્લાન્ટ

નેનો યુરિયા ખેડૂતોના વિકાસમાં ક્રાંતિકારી સાબિત થશે. આ સાથે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પૂર્ણ કરવાની દિશામાં પ્રગતિ થશે. હાલ ગુજરાતના કલોલમાં નેનો યુરિયાનો એક પ્લાન્ટ ચાલી રહ્યો છે. જ્યારે વધુ ચાર પ્લાન્ટ ખોલવાના છે. કુલ મળીને નેનો યુરિયાનું ઉત્પાદન કરતા પાંચ પ્લાન્ટ હશે. આ યાદીમાં કલોલ ઉપરાંત ફુલપુર, આમલા, પરાદ્વીપ અને બેંગ્લોરનો પણ સમાવેશ કરવામાં આવશે.

IFFCOના માર્કેટિંગ ડિરેક્ટર યોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકરી આપી છે કે IFFCO પહેલા જ 2 કરોડથી વધુ નેનો યુરિયાની બોટલોનું ઉત્પાદન કરી ચૂકી છે, આ રીતે મેડ ઈન ઈન્ડિયા પહેલના ધ્યેયને હાંસલ કરવા માટે વપરાય છે. નેનો યુરિયા ચોક્કસપણે ખેડૂતોની આવક અને આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વિઝનને પૂર્ણ કરશે.

ક્યારે શરૂ થયું હતું નેનો યુરિયાનું ઉત્પાદન

નેનો યુરિયા નાઈટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે. IFFCO દાવો કરે છે કે નેનો યુરિયાનો ઉપયોગ પરંપરાગત યુરિયાની સરખામણીમાં પાકના ઉત્પાદનમાં 8 ટકા જેટલો વધારો કરે છે. નેનો યુરિયા લિક્વિડના લોન્ચની જાહેરાત 31 મે 2021ના રોજ કરવામાં આવી હતી. તેનું વ્યાવસાયિક ઉત્પાદન જૂન 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 26 જાન્યુઆરી સુધીમાં IFFCOએ નેનો યુરિયાની 20 મિલિયન બોટલનું ઉત્પાદન પૂર્ણ કર્યું હતું. 500 mlની બોટલ પરંપરાગત 45 kg બેગની સમકક્ષ છે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં ઘમાસાણ! દિલ્હીમાં G-23 નેતાઓની બેઠક, સિબ્બલ-તિવારી સહિત અનેક નેતાઓ પહોંચ્યા ગુલામ નબી આઝાદના ઘરે, ફરી કરશે નેતૃત્વ પરિવર્તનની માંગ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">