જો તમે સોલાર પ્લાન્ટ લગાડવા માંગો છો તો સરકાર આપી રહી છે 40 % સબસિડી, જાણો સમગ્ર વિગત

કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સબસિડી પર સોલાર પ્લાન્ટ લગાવવા માટે લોકોને સબસિડી આપવામાં આવે છે.

જો તમે સોલાર પ્લાન્ટ લગાડવા માંગો છો તો સરકાર આપી રહી છે 40 % સબસિડી, જાણો સમગ્ર વિગત
Solar plant (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:49 AM

કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા અનેક યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં સૌર ઉર્જાને (Solar energy) પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવી જ એક યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ ઘરની છત પર સોલાર પ્લાન્ટ (Solar Plant) લગાવવા માટે સબસિડીવાળી લોન આપવામાં આવે છે. આ સાથે તમે સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વધારાની વીજળીને પાવર ગ્રીડને વેચીને નફો કમાઈ શકો છો.

આ સિવાય વીજળી ખરીદવાથી પણ છુટકારો મળે છે. આ સ્થિતિમાં જો તમે ઘર અથવા દુકાનની છત પર સોલાર પ્લાન્ટ લગાવવા માંગો છો તો આ લેખ ચોક્કસ વાંચો. આમાં અમે યોજના વિશે વિગતવાર માહિતી આપવાના છીએ.

મોંઘી વીજળીથી મળશે છૂટકારો

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 ના અંત સુધીમાં ગ્રીન એનર્જીથી 175 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આના કારણે લોકોને રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા ગ્રીન એનર્જી સેટઅપ માટે સબસિડી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં ઘરની છત પર 3 kW થી 10 kW સુધીની સોલાર પેનલ લગાવી શકાય છે. કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સોલાર પ્લાન્ટની કિંમત કેટલી છે

તમને જણાવી દઈએ કે ઘરની છત પર 2 KW ઓન-ગ્રીડ સોલર પેનલ લગાવવા માટે લગભગ 1 લાખ 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આમાં સોલાર પેનલ, ઇન્સ્ટોલેશન, મીટર અને ઇન્વર્ટરનો સમાવેશ થાય છે. આના પર 40 ટકા સુધીની સબસિડી ઉપલબ્ધ છે.

સોલાર પેનલ માટે લોન

કેન્દ્ર સરકાર દ્વારા મહત્તમ 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. જો છત પર 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવે અને તે 10 કલાક સૂર્યપ્રકાશ આપે તો દર મહિને લગભગ 450 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. આનાથી તમે દર મહિને મોંઘી વીજળી પર ખર્ચાતા હજારો રૂપિયા બચાવી શકો છો.

સોલાર પ્લાન્ટ માટે લોન ક્યાંથી મેળવવી

તમને જણાવી દઈએ કે જો તમે આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો, તો તમે કોઈપણ સરકારી બેંકમાં કેન્દ્ર સરકારની ગ્રીન એનર્જી સ્કીમ હેઠળ લોન માટે અરજી કરી શકો છો. હાલમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 3 થી 10 કિલોવોટના સોલાર પ્લાન્ટ માટે લોન આપવામાં આવે છે. તમે આ માટે અરજી કરી શકો છો.

ઓન ગ્રીડ સોલર સિસ્ટમ શું છે?

તમારા માટે એ જાણવું જરૂરી છે કે જ્યાં 24માંથી 20 કે 22 કલાક વીજળી હોય ત્યાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. આમાં, સોલાર પેનલને વીજળી બોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે આને ઘરમાં ઉપયોગમાં લેવાતા વીજળી બોર્ડની જેમ કરી શકો છો. બીજી તરફ, બીજી સિસ્ટમ ઑફ-ગ્રીડ સોલર સિસ્ટમ છે, જેમાં સોલર પેનલને ઇન્વર્ટર અને બેટરીથી ચાર્જ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Israel Attack on Gaza Strip : ઇઝરાયલ સેનાએ ગાજા પટ્ટીમાં કરી એરસ્ટ્રાઇક, ફાઇટર પ્લેનથી બોમ્બ ફેંકી રોકેટ હુમલાનો આપ્યો જડબાતોબ જવાબ

આ પણ વાંચો : દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ફેસબુક પરથી પાઠવી નવા વર્ષની શુભેચ્છા, એક્ટરને યાદ કરીને ઈમોશનલ થયા ફેન્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">