AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘઉં અને મકાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ઘઉં અને મકાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
Wheat Crop
| Updated on: Dec 12, 2023 | 1:40 PM
Share

ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. ઘઉં અને મકાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

ઘઉંના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ઘઉંની મોડી વાવણી માટે જી. ડબલ્યુ. ૧૭૩, જી. ડબલ્યુ. ૧૧, લોક ૧, એમ.પી. ૩૨૮૮ કે રાજ – ૪૨૩૮ પૈકી કોઈ પણ જાતનું વાવેતર કરવું.

2. બિયારણનો દર ૧૫૦ કિ.ગ્રા. / હેક્ટર રાખવો.

3. પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૨૦ – ૨૫ અને ૩૫ – ૪૦ દિવસે અનુક્રમે ૧૩૦ કી.ગ્રા. અને ૬૫ કિ.ગ્રા. પ્રતિ હેકટરે યુરીયા આપવું.

4. ફૂટ અવસ્થાએ (વાવણી બાદ ૩૫ – ૪૫ દિવસે) પિયત આપવું.

5. ઘઉંમાં ૫૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં ઝીંક સલ્ફેટ નાં બે છંટકાવ નીઘલ તેમજ દુધિયા દાણા અવસ્થાએ કરવા.

6. ભાલીયા ઘઉંમાં વધુ ઉત્પાદન માટે થાયોયુરિયા ૫૦૦ PPM પ્રમાણ, ૧૦ લીટર પાણીમાં ફૂટ અવસ્થાએ બીજો ઉગી નિકળવાના સમયે છંટકાવ કરવો.

7. ઘઉંમાં નિંધલ અથવા દુધિયા ધાણા બેસે ત્યારે ૫૦ ગ્રામ / ૧૦ લી પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

આ પણ વાંચો : હવે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, સરકારે નિકાસ બંધ કરતા ભાવમાં પડ્યુ 300 રૂપિયાનું ગાબડુ, મણના બોલાયા માત્ર 400 રૂપિયા

મકાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણ અને ખેતી કાર્યો

1. મકાઈમાં ફોલ આર્મી વોર્મના નિયંત્રણ માટે પ્રકાશ પિંજર નો ઉપયોગ કરો.

2. જૈવીક નિયંત્રકો જેવા કે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારાઈઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ પાવડર ૧૦ લીટર પાણીમાંભેળવીને છંટકાવ કરવો.

3. બેસીલસ થુરીન્ઝીએન્સીસનો પાઉડર ૨૦ ગ્રામ ૧૦ લીટરમાં નાખી છંટકાવ કરવો.

4. રાસાયણિક નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ મી.લી. અથવા સ્વીનોસાડ ૩ મી.લી. અથવા ક્વોરાન્ટ્રાનિલીપ્રોલ ૩ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. જરૂર જણાય તો અઠવાડીયા પછી દવા બદલી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
g clip-path="url(#clip0_868_265)">