તેલીબિયાં પાકો (Oilseed crops)માં તલનું મહત્વનું સ્થાન છે. તલનું ઉત્પાદન વર્ષમાં ત્રણ વખત લઈ શકાય છે. તલ એ ખેડૂતો માટે રોકડિયો પાક છે જેની બજારમાં માગ દરેક સમયે સતત રહે છે. શિયાળામાં તેની માંગ સૌથી વધુ હોય છે. તલમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ, લાડુ વગેરે બનાવવામાં આવે છે. આ સિવાય તલમાંથી તેલ કાઢવામાં આવે છે, જેની બજારમાં માગ સૌથી વધુ છે. આ જોતાં ખેડૂતો (Farmers) માટે તલની ખેતી (Sesame Cultivation) ખૂબ જ ફાયદાકારક છે. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખેડૂતો તલનું સારું ઉત્પાદન મેળવી વધુ નફો મેળવી શકે છે. આવો આજે અમે તમને તલની ખેતી વિશે માહિતી આપી રહ્યા છીએ અને તલની ખેતીની અદ્યતન ટેકનોલોજી વિશે પણ જાણીએ.
દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં તલની ખેતી થાય છે. આમાંથી મોટાભાગના તલનું ઉત્પાદન ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં થાય છે.
વર્ષમાં ત્રણ વખત તલની ખેતી કરી શકાય છે. ખરીફમાં તેનું વાવેતર જુલાઈ મહિનામાં થાય છે. અર્ધ-રવી સિઝનમાં ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વાવણી કરી શકાય. ઉનાળુ પાક માટે જાન્યુઆરીના બીજા સપ્તાહથી ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી વાવણી કરી શકાય છે.
સમશીતોષ્ણ વાતાવરણ તલ માટે સારું છે. અતિવૃષ્ટિ કે દુષ્કાળને કારણે તેનો પાક સારો થતો નથી. બીજી બાજુ, જો આપણે જમીન વિશે વાત કરીએ, તો આ માટે હલકી જમીન અને ચીકણી જમીન માફક આવે છે. આ પાક 5.5 થી 8.2 p.h ધરાવતી જમીનમાં ઉગાડી શકાય છે. આ ઉપરાંત તે રેતાળ લોમ અને કાળી જમીનમાં પણ ઉગાડવામાં આવે છે.
તલની ખેતી માટે ખેતર તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે ખેતરમાં નીંદણ બિલકુલ ન હોવું જોઈએ. ખેતરમાંથી નીંદણને સંપૂર્ણ રીતે દૂર કર્યા પછી, ખેતરમાં પ્રથમ ખેડાણ માટી ફેરવતા હળ વડે કરો. બે-ત્રણ ખેડાણ કર્યા પછી, ખેતરમાં પટ્ટા લગાવીને જમીનને નરમ બનાવો. ત્યારે છેલ્લા ખેડાણમાં 80 થી 100 ક્વિન્ટલ સડેલું ગાયનું છાણ ઉમેરો.
છંટકાવ પદ્ધતિથી તલની વાવણી માટે એકર દીઠ 1.6-3.80 બીજનો જથ્થો રાખવો જોઈએ. ત્યારે પંક્તિઓમાં વાવણી માટે સીડ ડ્રીલનો ઉપયોગ કરવો જોઈએ, જેના માટે એકર દીઠ 1-1.20 કિગ્રા બિયારણનો દર પૂરતો છે. મિશ્ર પદ્ધતિમાં તલના બીજનો દર એકર દીઠ એક કિલોથી વધુ ન હોવો જોઈએ. રોગોને રોકવા માટે, બીજ દીઠ 2.5 ગ્રામ થીરમ અથવા કેપ્ટાનના દરે ઉપયોગ કરવો જોઈએ.
ખેતર તૈયાર કરતી વખતે છેલ્લી ખેડાણ વખતે 80 થી 100 ક્વિન્ટલ સડેલું ગાયનું છાણ ભેળવવું જોઈએ. આ સાથે હેક્ટર દીઠ 30 કિલો નાઈટ્રોજન, 15 કિલો ફોસ્ફરસ અને 25 કિલો સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ. નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફરનો પૂરો જથ્થો વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને નાઈટ્રોજનનો અડધો જથ્થો ઉભેલા પાકમાં પ્રથમ નિંદામણ બાદ આપવો જોઈએ.
તલના પાકને વરસાદની મોસમમાં ઓછી પિયતની જરૂર પડે છે. જો વરસાદ ન હોય તો જરૂરીયાત મુજબ પિયત આપવું જોઈએ. જ્યારે તલનો પાક 50 થી 60 ટકા તૈયાર થઈ જાય, ત્યારે એક વખત પિયત આપવું જરૂરી છે. જો વરસાદ ન હોય તો જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ.
જ્યારે તલના પાન પીળા પડવા લાગે અને ખરી જાય અને પાંદડા લીલા રંગથી પીળા થઈ જાય ત્યારે સમજવું કે પાક પાકી ગયો છે અને તૈયાર છે. આ પછી છોડની સાથે નીચેથી કાપણી કરવી જોઈએ. લણણી કર્યા પછી, ઉભડી બનાવીને ખેતરમાં જુદી જુદી જગ્યાએ કરવી જોઈએ. જ્યારે છોડ સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે તેને ખંખેરી હળવા હાથે સાફ કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટે તલની લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા 7307 નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે સરકારે તલના MSPમાં 452 રૂપિયાનો વધારો કર્યો છે. જણાવી દઈએ કે ગત નાણાકીય વર્ષ 2020-21માં તલના લઘુત્તમ ટેકાના ભાવ 6855 હતો.
નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: હવે ખેડૂતો ઘર બેઠા મંગાવી શકશે મસાલા પાકોનું બિયારણ, ICAR એ શરૂ કર્યું ઓનલાઈન પોર્ટલ
આ પણ વાંચો: Viral: સાઈકલ કમ સ્કૂટીના આ મહાજૂગાડને જોઈ લોકો બોલ્યા ‘આ કળાનો કોઈ તોડ નથી’