AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicinal Plants: આ ઔષધીય છોડની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો ઔષધીય છોડ વિશે

મહામારીના સમયે, સમગ્ર વિશ્વએ ફરીથી ઔષધીય વનસ્પતિઓનું મૂલ્ય સમજ્યું છે. આ છોડમાં એવા ગુણ છુપાયેલા છે, જેને કોઈ ક્યારેય અવગણી શકે નહીં. દરરોજ તેનું સેવન કરવાથી વ્યક્તિના અડધાથી વધુ રોગો દૂર થઈ શકે છે.

Medicinal Plants: આ ઔષધીય છોડની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો ઔષધીય છોડ વિશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 1:56 PM
Share

ઔષધીય છોડ (Medicinal Plants Farming)ની ખેતી એ ખેડૂતો(Farmers)માટે સૌથી વધુ નફાકારક કૃષિ વ્યવસાય છે. જો કોઈની પાસે પૂરતી જમીન હોય અને તેને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોય તો તે ખેતીમાં ખૂબ ઓછા રોકાણમાં ઊંચી આવક મેળવી શકે છે. અને આજે અમે એવા જ કેટલાક ઔષધીય છોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ખેતીથી તમને ધન અને મન બંનેથી ફાયદો થવાનો છે. વાસ્તવમાં, મોંઘી સારવાર અને દવાઓના કારણે, ઔષધીય છોડ (Medicinal Plants)ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઉપરાંત, રોગચાળાના સમયે, સમગ્ર વિશ્વએ ફરીથી ઔષધીય વનસ્પતિઓનું મૂલ્ય સમજ્યું છે. આ છોડમાં એવા ગુણ છુપાયેલા છે, જેને કોઈ ક્યારેય અવગણી શકે નહીં. દરરોજ તેનું સેવન કરવાથી વ્યક્તિના અડધાથી વધુ રોગો દૂર થઈ શકે છે.

અજમા

અજમાનો છોડ ગુચ્છામાં ઉગે છે અને મની પ્લાન્ટ જેવો દેખાય છે. તેના છોડના પાંદડામાં સુંદર ડિઝાઈન હોય છે અને તેને નિયમિત કાપણીની જરૂર પડે છે. અજમાના છોડ સીધા સૂર્યપ્રકાશને સહન કરી શકે છે અને પુષ્કળ વૃદ્ધિ કરી શકે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે પેટની સમસ્યાઓ જેમ કે અલ્સરની સારવાર કરે છે. તે બ્લડ પ્રેશર પણ ઘટાડે છે, પાચનશક્તિ વધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે.

તેજપત્તા

એક સારી રીતે સુકેલી માટી અને ઉદાર માત્રામાં આપૂર્તિ સાથે તેજપત્તાનો છોડ સારી રીતે ફળી ફુલી શકે છે. કોઈપણ ભારતીય ઘરમાં નિયમિત તેજપત્તાનો ઉપયોગ સામાન્ય રીતે શાકાહારીથી લઈને માંસાહારી સુધીની વિવિધ વાનગીઓમાં થાય છે. કેટલાક લોકોએ આ પાનનો ઉપયોગ કેન્સર, ગેસ, ડેન્ડ્રફ અને સાંધાના દુખાવા કે ફોડલાની સારવાર માટે કર્યો છે. તેમાં વિટામીન A, B6, C, આયર્ન, મેંગેનીઝ અને કેલ્શિયમ સહિત વિવિધ સૂક્ષ્મ પોષકતત્વો હોય છે.

કોથમીર

ધાણાના છોડને સ્વસ્થ રાખવા માટે પાણી આપવું અને ખાતર આપવું જરૂરી છે. ધાણાના પાંદડામાં વિટામિન સી, કે, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, થાઈમીન, ફોસ્ફરસ, નિયાસિન અને કેરોટીન હોય છે. ધાણાના પાન ઇન્સ્યુલિન સ્ત્રાવને ઉત્તેજીત કરે છે અને બ્લડ સુગર લેવલ ઘટાડે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. આ ઉપરાંત, તે અલ્ઝાઈમર રોગની સારવાર કરે છે, બળતરા રોગો ઘટાડે છે અને મોંના ચાંદાને મટાડે છે.

મીઠો લીંબડો

કરી પત્તા એક વધુ ભારતીય મસાલો છે. તેના પાંદડાનો ઉપયોગ સદીઓથી વિવિધ વાનગીઓમાં તડકા લગાવા માટે કરવામાં આવે છે. કરી પત્તા વજન ઘટાડવામાં મદદ કરે છે, મરડો અને કબજિયાતની સારવારમાં ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે, ઘા અને કટ મટાડે છે, સારી દ્રષ્ટિ પ્રદાન કરે છે, ઉબકા દૂર કરે છે અને યાદશક્તિમાં પણ સુધારો કરે છે.

ફુદીના (Mint)

ફુદીનાના છોડને ભેજવાળી જમીન, ગરમ તાપમાન અને આંશિક રીતે જ સૂર્યપ્રકાશ ગમે છે. ફુદીનાના છોડ તેમની ઠંડકની અનુભૂતિ માટે વ્યાપકપણે જાણીતા છે. ફુદીનાનો ઉપયોગ તાજા અથવા સૂકા બંને પ્રકારના ખોરાકમાં સુશોભન માટે વાપરવાની સામગ્રી તરીકે થાય છે. ફુદીનાની ચટણી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત છે. ફુદીનો વિટામિન A, મેંગેનીઝ, ફોલેટ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે.

તુલસી

તુલસીનો છોડ કોઈપણ ભારતીય પરિવારના ઘર આંગળે સરળતાથી જોવા મળે છે. આ એક એવી પ્રથા છે જેનું ધાર્મિક રીતે પેઢીઓથી પાલન કરવામાં આવે છે. પ્રાચીન લોકો તુલસીના ઉપચાર ગુણધર્મો વિશે જાણતા હતા. આ રીતે ઘરમાં તુલસીનું વાવેતર કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સદીઓથી, તુલસી એ હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવા, અસ્થમા, માથાનો દુખાવો, શરદી, ઉધરસ, અપચો, સાઇનસાઇટિસ, ગેસ્ટ્રિક ડિસઓર્ડર, ખેંચાણ, અલ્સર વગેરેની સારવારમાં શક્તિશાળી એજન્ટ છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: બે બિલાડીઓએ પૂછડી વડે બનાવ્યું દિલ, લાખો લોકોને ખુબજ પસંદ આવ્યો આ વીડિયો

આ પણ વાંચો: Success Story: આ પ્રગતિશીલ ખેડૂત કૃષિ સાધનોની શોધ દ્વારા ખેડૂતોને આપી રહ્યા છે રાહત અને માર્ગદર્શન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">