Paddy Farming : ડાંગરના પાકની કાળજી ન લેવાથી થઇ શકે છે મોટું નુકસાન, રોગ-જીવાતના નિયંત્રણ માટે કરો આ કામ

|

Aug 29, 2021 | 2:45 PM

ડાંગરનો દુશ્મન બ્રાઉન પ્લાન્ટ હોપર છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તે છોડના દાંડી અને પાંદડામાંથી રસ ચૂસે છે, ખેડૂતો આ રીત અપનાવી પાકને બચાવી શકે છે.

Paddy Farming : ડાંગરના પાકની કાળજી ન લેવાથી થઇ શકે છે મોટું નુકસાન, રોગ-જીવાતના નિયંત્રણ માટે કરો આ કામ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ડાંગરની ખેતી (Paddy Farming) કરતા ખેડૂતો (Farmers) માટે સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. આ ઋતુમાં ડાંગરના પાકને નષ્ટ કરનાર બ્રાઉન પ્લાન્ટ હોપરનો ( Brown Plant Hopper) હુમલો શરૂ થઈ શકે છે. આ જીવાતો ડાંગરના પાંદડામાંથી રસ ચૂસીને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેથી, ખેડૂતે ખેતરમાં જવું જોઈએ અને છોડમાં મચ્છર જેવા જંતુનું નિરીક્ષણ કરવું જોઈએ. જો જીવાતો મળી આવે તો તેનો ઉકેલ લાવવો જોઈએ નહીંતર તમામ મહેનત પાણીમાં જશે.

કૃષિ વૈજ્ઞાનિકોના મતે આ જંતુઓસપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી વધુ અસર કરે છે. તેનું જીવનચક્ર 20 થી 25 દિવસનું છે. આ જીવાતને કારણે ડાંગરના પાંદડાઓની ઉપરની સપાટી પર કાળી ફૂગ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે. તેના કારણે છોડ ઓછો ખોરાક બનાવે છે અને તેમની વૃદ્ધિ અટકી જાય છે આ જંતુઓ આછા ભૂરા રંગના હોય છે.

અસરગ્રસ્ત પાકને હોપર બર્ન કહેવામાં આવે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જંતુઓ છોડના દાંડી અને પાંદડામાંથી રસ ચૂસે છે. વધારે રસને લીધે, પાંદડાઓની ઉપરની સપાટી પર કાળી ફૂગ થઇ જાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે અને તેના કારણે છોડને ઓછો ખોરાક મળે છે. આ જીવાતથી અસરગ્રસ્ત પાકને હોપર બર્ન કહેવામાં આવે છે.

આ વર્ષે મહારાષ્ટ્ર અને પૂર્વાંચલના કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદ પડ્યો છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક પાણીથી ભરાઈ ગયો છે. જો આ સમયે તેમના પર જીવાતોને હુમલો થશે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધી જશે. ભારતમાં ડાંગરની ખેતી લગભગ 43 મિલિયન હેક્ટરમાં થાય છે.

ઉકેલ શું છે

કૃષિ વૈજ્ઞાનિક રિતેશ શર્મા કહે છે કે ખેતરમાં મચ્છર જેવા જંતુ જોવા મળે તો તે ચિંતાજનક છે. આ મચ્છર બે -ચાર હોય તો વાંધો નથી. પરંતુ જો વધારે હોય તો પહેલા પાણીને સુકાવો અને યુરિયાનો ઉપયોગ ઓછો કરો. જો પાણીના ડ્રેનેજનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો તે સારું રહેશે. જો આ નિયંત્રિત ન હોય તો, પેનિસિલિયમ ફિલિપેન્સિસ અથવા મેટારિઝિયમ દવાનો સ્પ્રે કરો.

 

આ પણ વાંચો : Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર છે પ્રતિબંધ

આ પણ વાંચો :National Sports Day : આજે છે ‘રાષ્ટ્રીય રમત દિવસ’, જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

Next Article