Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? આજે અમે તમને જણાવીશું કે કયા લોકો ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે અને કયા ખેડૂતો આ કાર્ડ બનાવવા માટે પાત્ર છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 8:05 AM

e-Shram Card: આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ (e Shram Card) મેળવી રહ્યા છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરો અને કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ બનાવવાથી તેમને ઘણા ફાયદા થાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, ઈ-શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય સરકારી રેકોર્ડમાં આવવાથી તેમની રોજગાર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા કામદારો સરકારની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો (Farmers)નો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? આજે અમે તમને જણાવીશું કે કયા લોકો ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે અને કયા ખેડૂતો આ કાર્ડ બનાવવા માટે પાત્ર છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ઈ-શ્રમ કાર્ડ કોણ મેળવી શકે છે

અસંગઠિત ક્ષેત્રનો કોઈપણ કાર્યકર જે EPFO ​​અને ESIC ના સભ્ય નથી. તે પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કામદારોને તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ લોકો લેબર પોર્ટલ પર જઈને સરળતાથી ઈ-શ્રમ કાર્ડ મેળવી શકે છે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય કોઈપણ કામદાર તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ખેડૂતો પણ ઈ-શ્રમ કાર્ડ બનાવી શકશે

ઈ-શ્રમ પોર્ટલ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખેતમજૂર અને જમીન વિહોણા ખેડૂત પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. ત્યારે જે ખેડૂતોની પોતાની જમીન છે તેમના માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવશે નહીં. એટલે કે માત્ર ખેતમજૂર અને જમીન વિહોણા ખેડૂત આ કાર્ડ બનાવડાવી શકે છે.

આ પણ વાંચો: Reliance Jio 5G સ્પીડ ટેસ્ટની માહિતી થઈ લીક, 4Gની સરખામણીએ હશે આટલી ગણી ડાઉનલોડ સ્પીડ

આ પણ વાંચો: UP Election: જયંત ચૌધરીએ થોડા કલાકોમાં જ અમિત શાહની ઓફર ફગાવી દીધી, સમજો પશ્ચિમ યુપીમાં ભાજપ માટે જાટ વોટ કેમ મહત્વપૂર્ણ છે?

g clip-path="url(#clip0_868_265)">