PM Kisan: દેશના 12 કરોડ ખેડૂતો માટે મોટી રાહત, સરકારે eKYC માટેની છેલ્લી તારીખ લંબાવી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે PM કિસાન (PM Kisan)યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે eKYC કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે, કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ કામમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી. PM કિસાન યોજના માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ eKYC કરી શકતા ન હતા.

PM Kisan: દેશના 12 કરોડ ખેડૂતો માટે મોટી રાહત, સરકારે eKYC માટેની છેલ્લી તારીખ લંબાવી
Government extended the last date for eKYC (PM Kisan Website)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 2:00 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Scheme)નો લાભ લઈ રહેલા ખેડૂતો (Farmers)માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે eKYC કરવા માટેની છેલ્લી તારીખ લંબાવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે PM કિસાન (PM Kisan)યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે eKYC કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે, કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ કામમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી. PM કિસાન યોજના માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ eKYC કરી શકતા ન હતા. હવે સરકારે તેમને રાહત આપતા છેલ્લી તારીખ લગભગ બે મહિના માટે લંબાવી છે.

કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે eKYC કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 હતી, જેને લગભગ બે મહિના વધારીને 22 મે, 2022 કરવામાં આવી છે. . PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ખેડૂતો આધાર દ્વારા OTP પ્રમાણીકરણ કરીને eKYC કાર્ય પૂર્ણ કરી શકશે નહીં. તેઓએ બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા eKYC કરાવવું પડશે.

OTP દ્વારા eKYC મેળવવાની સુવિધા બંધ

અત્યાર સુધી, ખેડૂતો આધાર કાર્ડમાં આપેલા મોબાઈલ નંબર દ્વારા OTP દ્વારા eKYC કરાવી શકતા હતા. પરંતુ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી દ્વારા ઈ-કેવાયસી કરવાની સુવિધા હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, હવે ખેડૂતોએ નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ફક્ત બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા જ તેમનું ઇ-કેવાયસી કાર્ય પૂર્ણ કરવું પડશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અત્યાર સુધી પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને 10 હપ્તાના નાણાં મળ્યા છે. હવે ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાના નાણાં મોકલશે, પરંતુ હવે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.

લગભગ 11 કરોડ ખેડૂતોને 10મો હપ્તો મળ્યો

યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં શરૂ કરી હતી, પરંતુ તેનો લાભ ખેડૂતોને નાણાકીય વર્ષ 2018-19ના છેલ્લા ક્વાર્ટરથી આપવામાં આવી રહ્યો છે. 3 કરોડ 16 લાખથી વધુ ખેડૂતોને પ્રથમ હપ્તાના નાણાં મળ્યા છે. ત્યારે 10 કરોડ 95 લાખ ખેડૂતોને 2021-22 ના છેલ્લા ક્વાર્ટરમાં મોકલવામાં આવેલા 10મા હપ્તાના પૈસા મળ્યા છે. ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે 3 વર્ષમાં પીએમ કિસાનના લાભાર્થીઓની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે.

આ પણ વાંચો: યોગ્ય ભાવે ખાતર આપવું એ સરકારની પ્રાથમિકતા, યુરિયા પર 3700 રૂપિયાની સબસિડી અપાઈ રહી છે : મનસુખ માંડવિયા

આ પણ વાંચો: પાંચ વર્ષમાં ખુલશે દુનિયાની પહેલી સ્પેસ હોટેલ, સામાન્ય લોકો પણ અવકાશની સફરની માણી શકશે મજા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">