અજોલા પશુપાલન અને ખેતી માટે અમૃત તરીકે કામ કરે છે, જાણો કેવી રીતે તૈયાર થાય છે અજોલા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો

|

Nov 14, 2021 | 12:22 PM

અજોલા પુષ્કળ પોષક તત્વોથી ભરપૂર જળચર વનસ્પતિ છે. એલોવિના અજોલી નામની લીલી શેવાળ તેના પાંદડાઓમાં જોવા મળે છે. તેના પોષક ગુણોને કારણે તેને પશુ આહાર માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

અજોલા પશુપાલન અને ખેતી માટે અમૃત તરીકે કામ કરે છે, જાણો કેવી રીતે તૈયાર થાય છે અજોલા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો
Azolla Production

Follow us on

અજોલાને (Azolla) ખેતી અને પશુપાલન માટે અમૃત કહેવામાં આવે છે. બંને જગ્યાએ તેની વિશેષ ઉપયોગિતા છે. તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વૃક્ષો, છોડ અને પશુઓને પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો આપે છે. એટલા માટે હવે તેના ઉત્પાદન પર ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે. આ ડેરી વ્યવસાય માટે વરદાન સાબિત થઈ રહ્યું છે.

અજોલા શું છે
અજોલા પુષ્કળ પોષક તત્વોથી ભરપૂર જળચર વનસ્પતિ છે. એલોવિના અજોલી નામની લીલી શેવાળ તેના પાંદડાઓમાં જોવા મળે છે. તેના પોષક ગુણોને કારણે તેને પશુ આહાર માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તે ઓછા ખર્ચમાં વધુ સારું પરિણામ આપે છે. તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતો લીલો ચારો છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેને તૈયાર કરવા માટે કોઈ અલગ જમીનની જરૂર નથી. ખેડૂતો તેને તેમના આંગણામાં પણ વાવી શકે છે.

અજોલાનો ઉપયોગ
અજોલાનો ઉપયોગ પશુપાલનથી લઈને ખેતીમાં થાય છે. તે પશુ આહારની સાથે ખેતીમાં ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે. પશુપાલનમાં લીલા ચારાનો તે શ્રેષ્ઠ વિકલ્પ છે. આપણે જોઈએ છીએ કે આજના સમયમાં પૌષ્ટિક ઘાસચારાના અભાવે પશુઓમાં આ સમસ્યા સામાન્ય બની છે, જેના કારણે પશુપાલકોએ પશુઓ માટે અનેક પ્રકારના ચારાની વ્યવસ્થા કરવી પડે છે. તેથી અજોલા પશુઓ માટે સંપૂર્ણ આહાર બની શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પશુપાલન માટે અજોલાની ખેતી કરો
ખાસ કરીને દૂધાળા પશુઓના પશુ આહારમાં એકથી બે કિલોગ્રામ અજોલા ખવડાવવાથી તેમના દૂધના ઉત્પાદનમાં 8 થી 15 ટકાનો વધારો થાય છે. આ સિવાય બકરી પાલન અને મરઘાં પાલનમાં ચારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. પશુપાલન માટે અજોલાનું ઉત્પાદન કરવું વધુ સારું છે.

ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ
પશુપાલકોએ નોંધ લેવી જોઈએ કે અજોલાને સીધા જ પશુઓને ખવડાવવું જોઈએ નહીં. તેને ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ. ત્યારબાદ સ્વચ્છ અજોલા પશુઓને ખવડાવવું જોઈએ.

પશુપાલન માટે અજોલાનું ઉત્પાદન કેવી રીતે કરવું
જે ખેડૂતો પશુપાલન માટે અજોલાનું ઉત્પાદન કરવા માંગતા હોય તેઓ પ્લાસ્ટિકના ઉપયોગથી ઈંટો દ્વારા ક્યારી બનાવી અથવા કુંડ બનાવીને અજોલાનું ઉત્પાદન કરી શકે છે. અજોલા ભેજવાળી જમીન પર પણ ટકી રહે છે, પરંતુ યોગ્ય પોષક તત્ત્વોથી ભરપૂર અજોલા માટે તેને જમીનની સપાટીથી પાંચથી 10 સે.મી.નું પાણીનું સ્તર જરૂરી છે. આ માટે તાપમાન 25-30 ડિગ્રી હોવું જોઈએ. અજોલાના ઉત્પાદન માટે વપરાતી માટી અને પાણીનું pH મૂલ્ય પાંચથી સાતની વચ્ચે હોવું જોઈએ.

અજોલા ખેતીમાં કેવી રીતે મદદરૂપ થાય છે
ડાંગરના પાકમાં અઝોલાનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. લીલા ખાતરના રૂપમાં અજોલાને અન્ય ખાતરો સાથે ભેળવીને ડાંગરમાં નાખવામાં આવે છે. તેનાથી રાસાયણિક ખાતરની ખરીદી પર 50 ટકા સુધીની બચત થાય છે. સાથે જ ડાંગરની ઉપજ પણ વધે છે. વર્મી કમ્પોસ્ટમાં અજોલાનો ઉપયોગ વર્મી કમ્પોસ્ટની પોષક ક્ષમતામાં વધારો કરે છે.

 

આ પણ વાંચો : Mandi: અમદાવાદના ધંધુકા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8940 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : પશુપાલકો માટે સ્વચ્છ દૂધ ઉપ્તાદન શા માટે જરૂરી છે ? જાણો તેના ફાયદા

Next Article