ઠંડીની ઋતુમાં પશુઓની સંભાળ રાખવા માટે આ બાબતો મહત્વની, મુશ્કેલીથી બચવા માટે કાળજી લેવી જરૂરી

|

Dec 09, 2021 | 7:44 PM

આ સમય દરમિયાન પશુઓમાં જુદા-જુદા રોગ થવાની સંભાવના પણ છે તેથી જો તમે તમારા પશુઓને રોગો સામે લડવા માટે રસીકરણ નથી કરાવ્યું તો ઝડપથી સમયસર રસી અપાવો.

ઠંડીની ઋતુમાં પશુઓની સંભાળ રાખવા માટે આ બાબતો મહત્વની, મુશ્કેલીથી બચવા માટે કાળજી લેવી જરૂરી
Animal Husbandry

Follow us on

અત્યારે શિયાળાની સિઝન (Winter Season) ચાલી રહી છે અને ઠંડીનું વાતાવરણ છે. આ સ્થિતિમાં તાપમાનમાં ઘટાડો થવો અનિવાર્ય છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જશે. તેથી ખેડૂતો (Farmers) સમક્ષ પડકાર એ છે કે તેઓ પશુઓને ઠંડા હવામાનથી બચાવવા અને તેમને સુરક્ષિત રાખવા. અહીં અમે ખેડૂતો માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની કાળજી લઈને ખેડૂતો ઠંડીની મોસમમાં પશુધનને યોગ્ય રીતે રાખી શકે છે.

પશુચિકિત્સકો રાત્રે પશુઓને ખુલ્લામાં ન છોડવાની સલાહ આપે છે. શિયાળાની ઋતુમાં પશુઓના રહેઠાણનું વધુ સારી રીતે સંચાલન કરો. સમયાંતરે ઘાસ અને ભુસુ પશુ રહેઠાણની છત પર મુકો. દિવસ દરમિયાન ખુલ્લા સૂર્ય પ્રકાશમાં જાનવરોને બાંધો કારણ કે સૂર્યના કિરણોમાં બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવાની ક્ષમતા હોય છે, જેનાથી રોગો થવાની શક્યતાઓ ઓછી થાય છે.

પશુઓનું સમયસર રસીકરણ કરાવો
તાપમાન ઘટે ત્યારે પ્રાણીના શરીરને ગરમ રાખવાના પગલાં લો. પશુઓના શરીરને કાપડ અથવા શણની કોથળાથી બાંધી દો. પશુઓમાં રક્ત પરિભ્રમણ વધુ સારું જાળવવા માટે, પ્રાણીઓને હળવી કસરત આપો. આ સમય દરમિયાન પશુઓમાં જુદા-જુદા રોગ થવાની સંભાવના પણ છે તેથી જો તમે તમારા પશુઓને રોગો સામે લડવા માટે રસીકરણ (Vaccination) નથી કરાવ્યું તો ઝડપથી સમયસર રસી અપાવો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ઠંડા વાતાવરણમાં વાછરડાઓમાં કફ, ન્યુમોનિયા, ઉધરસ જેવા રોગોના કિસ્સામાં પશુચિકિત્સકની સલાહ લીધા પછી જ પશુને દવા આપો. દૂધાળા જાનવરોને મોઢાના રોગથી બચાવવા માટે, આખું દૂધ કાઢીને અને દોહન કર્યા પછી જંતુનાશક દ્રાવણથી આંચળને ધોઈ લો.

લીલો ચારો યોગ્ય માત્રામાં જ આપવો
આ ઋતુમાં પ્રાણીઓના આહારમાં ખનિજ ક્ષારનું નિયત પ્રમાણ આપો. કઠોળનો લીલો ચારો અને ઓટ્સ પશુઓને આપો. તેમજ આ સમયે એક તૃતીયાંશ સુકો ચારો અને બાકીનો લીલો ચારો આપવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે. આ સમયે લીલો ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ પશુનું સ્વાસ્થ્ય જાળવવા માટે લીલો ચારો ચોક્કસ માત્રામાં જ આપવો. જો તમે લીલો ચારો વધુ માત્રામાં ખવડાવો છો, તો અવ્યવસ્થા થવાની સંભાવના છે.

 

આ પણ વાંચો : બટાટા અને ટામેટાના પાકમાં રોગ આવવાની શક્યતા, રોગ-જીવાતના નિયંત્રણ માટે ખેડૂતો કરે આ કામ

આ પણ વાંચો : SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ

Next Article