AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બટાટા અને ટામેટાના પાકમાં રોગ આવવાની શક્યતા, રોગ-જીવાતના નિયંત્રણ માટે ખેડૂતો કરે આ કામ

વૈજ્ઞાનિકોએ ખેડૂતોને બટાકાના પાક પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. હવામાં વધુ પડતા ભેજને કારણે બટાટા અને ટામેટામાં રોગની સંભાવના છે, તેથી તેનું નિયમિત નિરીક્ષણ કરો.

બટાટા અને ટામેટાના પાકમાં રોગ આવવાની શક્યતા, રોગ-જીવાતના નિયંત્રણ માટે ખેડૂતો કરે આ કામ
Tomato Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 6:43 PM
Share

ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન (IARI) ના કૃષિ ભૌતિકશાસ્ત્ર વિભાગમાં કામ કરતા વૈજ્ઞાનિકોએ ખેડૂતોને બટાકાના પાક (Potato Farming) પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમના મતે ખેડૂતોએ (Farmers) બટાકાની ખેતીમાં ખાતરનો (Fertilizer) જથ્થો નાખવો જોઈએ અને પાકમાં માટી નાખવાનું કામ કરવું જોઈએ. હવામાં વધુ પડતા ભેજને કારણે બટાટા અને ટામેટામાં રોગની સંભાવના છે. તેથી તેનું નિયમિત નિરીક્ષણ કરો. જો લક્ષણો દેખાય, તો કાર્બંડિઝમ 1.0 ગ્રામ/લીટર પાણી અથવા ડાઈથેન-M-45 2.0 ગ્રામ/લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.

જે ખેડૂતોની ટામેટા (Tomato Farming), કોબીજ અને બ્રોકોલીની નર્સરી તૈયાર છે, તેઓ સિઝનને ધ્યાનમાં રાખીને છોડનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. તાપમાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વહેલામાં વહેલી તકે મોડા પાકતા ઘઉંની (Wheat) વાવણી કરવાની સલાહ આપવામાં આવે છે.

કોરોના (COVID-19) ના ગંભીર ફેલાવાને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા, વ્યક્તિગત સ્વચ્છતા, માસ્કનો ઉપયોગ અને તૈયાર શાકભાજીની લણણી અને અન્ય કૃષિ પ્રવૃત્તિઓ દરમિયાન સામાજિક અંતર જાળવવા પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

સરસવના પાકમાં આ કામ કરો વિજ્ઞાનીઓએ 12 ડિસેમ્બર સુધી જાહેર કરાયેલી કૃષિ સલાહમાં જણાવ્યું છે કે જો મોડા વાવેલા સરસવનો પાક ખૂબ જ ગાઢ હોય તો નીંદણ નિયંત્રણનું કામ કરો. સરેરાશ તાપમાનના ઘટાડાને ધ્યાનમાં રાખીને, સરસવના પાકમાં સફેદ રસ્ટ રોગનું નિયમિતપણે નિરીક્ષણ કરો. આ સિઝનમાં રવિ સિઝનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. વાવેતર પહેલા સારી રીતે ગાયના છાણ અને પોટાસનો ઉપયોગ કરો.

મોડા પાકતી ઘઉંની જાતો મોડા પાકતા ઘઉંની સુધારેલી જાતોમાં WR 544, HD 3237, રાજ 3765, HD 3271, HD 3059, HD 3117, UP 2338, PBW 373 અને UP 2425નો સમાવેશ થાય છે. પ્રતિ હેક્ટર 125 કિલો બિયારણની જરૂર પડશે. વાવણી પહેલાં, ઘઉંના બીજને થિરામ @ 2.0 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે માવજત કરો. તેવી જ રીતે, જ્યાં ઉધઈનો ઉપદ્રવ હોય તેવા ખેતરોમાં કલોરપાયરીફાસ (20 EC) @ 5 લિટર પ્રતિ હેક્ટરના દરે સૂકા ખેતરમાં છંટકાવ કરવો.

આ પણ વાંચો : SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ

આ પણ વાંચો : ઉત્પાદન કરતાં ખાદ્યતેલોની સ્થાનિક માગ ઝડપથી વધી રહી છે, જાણો માગ-પુરવઠામાં કેટલો તફાવત છે ?

જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
g clip-path="url(#clip0_868_265)">