AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અતિવૃષ્ટિથી કપાસ સહીતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને હવે શિયાળુ પાક પર આશા છે. ત્યારે ખેડૂતો અને પરંપરાગત જીરૂંના બદલે ચણા અને ઘઉંનુ વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે.

SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ
Cumin Farming (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 3:44 PM
Share

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરમાં જીરુંનું મોટા પ્રમાણમાં વાવેતર થતુ હોય છે. પરંતુ જીરૂના પાકમાં રોગ અને જીવાતોના ઉપદ્રવ તેમજ દવાના ખર્ચ અને ઉત્પાદનમાં ઘટનાં કારણે જિલ્લાના ખેડૂતો હવે ચણા અને ઘઉંના વાવેતર તરફ વળ્યા છે. આ વર્ષે જિલ્લામાં ચણામાં ૨૨ હજાર હેકટર, જ્યારે ઘઉંના વાવેતર માં ૭ હજાર હેક્ટરનો વધારો નોંધાયો છે જ્યારે જીરૂના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં અતિવૃષ્ટિથી કપાસ સહીતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને હવે શિયાળુ પાક પર આશા છે. ત્યારે ખેડૂતો અને પરંપરાગત જીરૂંના બદલે ચણા અને ઘઉંનુ વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે. ગત સિઝનમાં જિલ્લામાં ૨૩ હજાર હેક્ટરમાં ઘઉં, ૨૬૮૫૧ હેક્ટરમાં ચણા અને ૫૭૫૧૪ હેકટરમાં જીરૂનું વાવેતર કર્યું હતું. પરંતુ જીરૂના પાકમાં રોગ અને જીવાતના ઉપદ્રવથી ઉત્પાદનમાં ઘટ આવતા તેમજ મોંઘી દવાઓના ખર્ચથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવી હતી.

જીરૂના એક મણના ભાવ માંડ ૨૦૦૦ થી ૨૨૦૦ મળ્યા હતા. જેની સામે એક મણ જીરૂંના ઉત્પાદન પાછળ અંદાજે ૧૫૦૦ થી ૧૭૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી ખેડૂતો હવે જીરૂંના બદલે ચણા અને ઘઉંના વાવેતર તરફ વળ્યા છે. જેને લઇને આ વર્ષે જિલ્લામાં ૩૦૧૮૦ હેક્ટરમાં ઘઉં, ૪૯૪૩૬ હેક્ટરમાં ચણા અને ૩૭૦૬૭ હેક્ટરમાં જીરુંનું વાવેતર નોંધાયુ છે. ચણાના વાવતેરમાં ઓછા ખર્ચે ઉત્પાદન વધુ તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીના કારણે ખેડૂતો ચણાના વાવેતર તરફ વળ્યા છે. અને જિલ્લામાં હજુ પણ આગામી સમયમાં ચણાના વાવેતરમાં વધારો નોંધાયો છે અને આ વર્ષે જિલ્લામાંથી ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવી શક્યતા છે.

રાજસ્થાન જીરુંના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર

હવામાનમાં ફેરફારની સૌથી મોટી અસર રવી પાકમાં જીરુંના પાકને થઈ છે. દેશમાં રાજસ્થાન અને ગુજરાત જીરું પકવતા સૌથી મોટા રાજ્યો છે. રાજસ્થાનમાં વાવેતર ગત વર્ષની સમકક્ષ પણ ગુજરાતમાં વાવેતરના આંકે ઉત્પાદનના ગણિત ફેરવી કાઢ્યા છે.  લગ્નની સિઝન વચ્ચે પણ એક માસ બાદ શરૂ થતી જીરુંની સિઝનમાં રાજસ્થાનમાંથી આવક વહેલી આવવાના સંજોગો છે. જીરુંના પાકમાં હાલની ટનાટન સ્થિતિ વચ્ચે જીરુંએ હવામાન આધારિત પાક હોવાની સાથે વાતાવરણમાં ફેરફારો જોતાં ખેડૂતોએ આ વર્ષે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">