Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં પશુપાલન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા માટે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે, જાણો યોજનાની તમામ વિગતો

પશુઓ માટે પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામ બેઠા તેમના પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે. આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પશુ રસીકરણ માટે ડોર-ટુ-ડોર મફત સેવા આપવામાં આવે છે.

ગુજરાતમાં પશુપાલન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા માટે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે, જાણો યોજનાની તમામ વિગતો
Animal Health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 11:44 AM

ગુજરાતના તમામ જિલ્લામાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે. જેઓના નિયંત્રણ હેઠળ પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત છે. આ સંસ્થાઓ પૈકી પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, 10 ગામ દીઠ 1 મોબાઇલ પશુ દવાખાના ખાતે પશુચિકિત્સા અધિકારી મારફતે પશુચિકિત્સા (Veterinary Services) અને પશુ આરોગ્ય (Animal Health) સેવાઓ આપવામાં આવે છે.

10 ગામ દીઠ એક ફરતા પશુદવાખાના

પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુધન નિરિક્ષક મારફતે IVC Act 1984 ની 30 (બી) મુજબ તા. 29-11-2012 ના નોટીફીકેશન પ્રમાણે પ્રાથમિક પશુ સારવાર તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન ખાતાની વ્યક્તિ લક્ષી યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.

પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ પશુ દવાખાના, વેટ પોલિક્લિનિક, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્ર, 10 ગામ દીઠ એક ફરતા પશુદવાખાના જેવી પશુ સારવાર સંસ્થાઓ દ્વારા તમામ સેવાઓ પશુ સારવાર સંસ્થાના સ્થળેથી મફત પણ પુરી પાડવામાં આવે છે.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે

રાજ્યમાં 33 વેટરનરી પોલિક્લીનીક તથા 1 હાઈટેક વેટરનરી પોલીક્લીનીક દ્વારા રેફરલ હોસ્પિટલ તરીકેની કામગીરી હાથ ધરી જટીલ પ્રકારના કેસો અને સર્જીકલ કેસોની સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં 18 પશુરોગ અન્વેષણ એકમો દ્વારા રોગ સંશોધન, રોગ સર્વે અને નિદાનની કામગીરી કરવામાં આવે છે.

પશુઓ માટે પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામ બેઠા તેમના પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે. આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પશુ રસીકરણ માટે ડોર-ટુ-ડોર મફત સેવા આપવામાં આવે છે.

આ પણ વાંચો : ચોમાસાની ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી, જાણો બીમારીના લક્ષણ અને બચાવની રીત

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962

રાજ્યના દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગની 108 ની સેવાની જેમ GVK-EMRI દ્વારા પીપીપી મોડ પર હાલ શહેરી વિસ્તાર પુરતું, રોડ પર કે અન્ય જગ્યાએ અકસ્માતથી ઇજા પામેલ પશુ પક્ષીઓની સારવાર, ઇમરજન્સી સારવાર તથા અનાથ અને નિ:સહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલન્સ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવાથી એમ્બ્યુલન્સ સ્થળ પર આવી, પશુ ચિકિત્સા અધિકારી દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

માહિતી સ્ત્રોત: પશુપાલન નિયામકની કચેરી, ગાંધીનગર

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">