AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય કૃષિ વિભાગે રવિ અભિયાન 2023-24 માટે રાષ્ટ્રીય પરિષદનું કર્યું આયોજન, દેશમાં અનાજનું ઉત્પાદન 3305 લાખ ટન થવાનો અંદાજ

કૃષિ સચિવના જણાવ્યા અનુસાર, 2022-23 દરમિયાન કઠોળનું ઉત્પાદન 275 લાખ ટન અને તેલીબિયાંનું કુલ ઉત્પાદન 410 લાખ ટન રેકોર્ડ રહેવાનો અંદાજ છે. છેલ્લાં 8 વર્ષમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 251.54 થી 31 ટકા વધીને 330.54 મિલિયન ટન થયું છે. વર્ષ 2022-23 માટે કૃષિ ઉત્પાદનોની નિકાસ $53.145 બિલિયનને વટાવી ગઈ છે.

કેન્દ્રીય કૃષિ વિભાગે રવિ અભિયાન 2023-24 માટે રાષ્ટ્રીય પરિષદનું કર્યું આયોજન, દેશમાં અનાજનું ઉત્પાદન 3305 લાખ ટન થવાનો અંદાજ
Food Grain Production
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 8:40 PM
Share

કેન્દ્રીય કૃષિ વિભાગે (Agriculture Department) રવિ અભિયાન 2023-24 માટે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય કૃષિ સચિવ મનોજ આહુજાના જણાવ્યા અનુસાર, 2022-23ની સીઝનમાં દેશમાં અનાજનું ઉત્પાદન (Food Grain Production) 3305 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે 2021-22 દરમિયાન અનાજના ઉત્પાદન કરતાં 149 લાખ ટન વધુ છે. ચોખા, મકાઈ, ચણા, કઠોળ, સરસવ, તેલીબિયાં અને શેરડીના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે.

ખાદ્યાન્નનું ઉત્પાદન 330.54 મિલિયન ટન થયું

કૃષિ સચિવના જણાવ્યા અનુસાર, 2022-23 દરમિયાન કઠોળનું ઉત્પાદન 275 લાખ ટન અને તેલીબિયાંનું કુલ ઉત્પાદન 410 લાખ ટન રેકોર્ડ રહેવાનો અંદાજ છે. છેલ્લાં 8 વર્ષમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 251.54 થી 31 ટકા વધીને 330.54 મિલિયન ટન થયું છે. વર્ષ 2022-23 માટે કૃષિ ઉત્પાદનોની નિકાસ $53.145 બિલિયનને વટાવી ગઈ છે.

અનાજ ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 3320 લાખ ટન

ઇકોસિસ્ટમ માટે અનુકૂળ એવા પાકની ખેતીને દેશમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે જરૂરિયાતના આધારે પાકના વૈવિધ્યકરણને પણ પ્રોત્સાહન આપવા માટે પ્રયન્તો કરવામાં આવી રહ્યા છે. અનાજ ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 3320 લાખ ટન છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24 માટે કુલ ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 3320 લાખ ટન નિર્ધારિત કરવામાં આવ્યો છે. રવી સિઝન તેમાં 1612 લાખ ટનનું યોગદાન આપશે.

આ પણ વાંચો : Farming in October: ખેડૂતોએ ઓક્ટોબર મહિનામાં ખેતી કરતી વખતે આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, મળશે સારું ઉત્પાદન

રવિ પાકનો હિસ્સો કઠોળ માટે 292 લાખ ટનમાંથી 181 અને તેલીબિયાં માટે 440 લાખ ટનમાંથી 145 હશે. આ વ્યૂહરચના આંતર-પાક અને પાક વૈવિધ્યકરણ દ્વારા વિસ્તાર વધારવાની અને HYV ની રજૂઆત અને ઓછી ઉપજ ધરાવતા વિસ્તારોમાં યોગ્ય કૃષિ પદ્ધતિઓ અપનાવવા દ્વારા ઉત્પાદકતા વધારવાની હશે.

સરસવના ઉત્પાદનમાં 37 ટકાનો વધારો થયો

છેલ્લા 3 વર્ષમાં સરસવનું ઉત્પાદન 91.24 થી 37 ટકા વધીને 124.94 લાખ ટન થયું છે. ઉત્પાદકતા 1331 થી 7 ટકા વધીને 1419 કિગ્રા/હેક્ટર થઈ. સરસવનો વિસ્તાર 2019-20માં 68.56 લાખ હેક્ટરથી 28 ટકા વધીને 2022-23માં 88.06 લાખ હેક્ટર થયો છે. સરસવનું ઉત્પાદન વધવાથી પામ અને સૂર્યમુખી તેલની આયાતમાં આવતી કેટલીક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળી રહી છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">