AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPRI Shimla : હવે બટાટાના પાકને રોગો અને જીવાતોથી બચાવશે લસણ, વૈજ્ઞાનિકોએ એકસાથે ખેતીનું નવું મોડલ કર્યું તૈયાર

ખેડૂતો (Farmers) માટે આ ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો એક સાથે બે પાક લઈને બમણો નફો મેળવી શકશે. જાણો લસણ કેવી રીતે બટાટાના પાકને રોગ અને જીવાતોથી બચાવે છે.

CPRI Shimla : હવે બટાટાના પાકને રોગો અને જીવાતોથી બચાવશે લસણ, વૈજ્ઞાનિકોએ એકસાથે ખેતીનું નવું મોડલ કર્યું તૈયાર
Potato CropImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 10:58 AM
Share

હવે લસણ બટાટા (Potato Crop) ના પાકને રોગો અને જીવાતોથી બચાવશે. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (Central Potato Research Institute)ના વૈજ્ઞાનિકોએ બંને પાકને એકસાથે ઉગાડીને આ દિશામાં સફળ પરીક્ષણ કરીને એકસાથે ખેતીનું નવું મોડલ તૈયાર કર્યું છે. જે ખેડૂતો (Farmers) માટે ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો એક સાથે બે પાક લઈને બમણો નફો મેળવી શકશે. લસણ જમીનમાં સલ્ફર ઉમેરે છે અને બટાટા પર હુમલો કરતા જીવાતો અને રોગોને અટકાવે છે.

બટાટા અને લસણને એકસાથે ખેતરમાં ઉગાડવાની પદ્ધતિ મુજબ ખેડૂતોએ ખેતરમાં એક હરોળમાં બટાકાનો પાક અને બીજી હરોળમાં લસણ ઉગાડવાનો રહે છે. આમાં બટાકાના ઉત્પાદન માટે જરૂરી હોય તેટલું જ અંતર રાખવું પડશે. આ પ્રયોગ કોઈપણ જાતના બટાકા પર કરી શકાય છે. તેનાથી બટાકા અને લસણના ઉત્પાદનમાં પણ કોઈ ફરક પડતો નથી. બટાકાના પાકને નષ્ટ કરનાર લેટ બ્લાઈટ રોગનો સામનો કરવા માટે લસણનો પાક મધ્યમાં ઉગાડવો અસરકારક માનવામાં આવે છે.

તે તમામ પ્રકારના દુશ્મન જંતુઓની વૃદ્ધિ થવા દેતું નથી. સંસ્થાના વૈજ્ઞાનિકો હજુ પણ આ પ્રકારની ખેતી અંગે વધુ તથ્યો એકત્ર કરી રહ્યા છે. આ પછી, લસણ અને બટાકાની સંયુક્ત ખેતી માટે કઈ જાતો વધુ અસરકારક રહેશે તેના પર પણ પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે. આ સફળ અજમાયશ બાદ દેશના બટાટા ઉત્પાદકો તેમના ખેતરોમાં બટાટા અને લસણની ખેતીથી વધુ લાભ મેળવી શકશે.

જીવાતો અને પોટેટો લેટ બ્લાઈટ ફૂગ જેવા રોગોથી રક્ષણ મળશે

કેન્દ્રીય બટાટા સંશોધનના નિયામક ડૉ. એન.કે. પાંડે કહે છે કે ખેડૂતો બટાટા અને લસણની એકસાથે ખેતી કરીને બટાટાના પાકને જીવાતો અને લેટ બ્લાઈટ ફૂગ (Potato late blight fungus) જેવા રોગોથી બચાવી શકશે. આ દિશામાં સંસ્થાના વૈજ્ઞાનિકો વધુ તથ્યો અને ડેટા એકત્ર કરી રહ્યા છે. આ અંગે ફિલ્ડ ટ્રાયલ ચાલી રહી છે.

લસણ પહેલેથી સફરજનના બગીચાઓમાં ઉગાડવામાં આવે છે

રોગો અને જીવાતોના નિયંત્રણ માટે હિમાચલ પ્રદેશમાં સફરજનના બગીચાઓમાં પહેલેથી જ લસણની ખેતી કરવામાં આવી રહી છે. માળી સફરજનના ઝાડના થડ પાસે લસણ ઉગાડે છે. તે રુટ બોરર જંતુઓ, અન્ય ખતરનાક કેટરપિલરને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.

g clip-path="url(#clip0_868_265)">