AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો અહીંથી ખરીદી શકે છે ગુણવત્તાયુક્ત ડુંગળીનું બિયારણ, ઓનલાઈન એપ્લાઈ કરવાની પણ છે સુવિધા

મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ડુંગળી(Onion)ની વાવણી લગભગ શરૂ થઈ ગઈ છે. કૃષિ તજજ્ઞો કહે છે કે ખેડૂતો આ વખતે ગુણવત્તાયુક્ત બિયારણનો ઉપયોગ કરશે તો ઉપજમાં વધારો થશે.

ખેડૂતો અહીંથી ખરીદી શકે છે ગુણવત્તાયુક્ત ડુંગળીનું બિયારણ, ઓનલાઈન એપ્લાઈ કરવાની પણ છે સુવિધા
Onion seedsImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 2:44 PM
Share

આ વર્ષે ભાવ ઘટવાને કારણે ડુંગળી ચર્ચાનો વિષય બની છે. સતત 3 મહિનાથી ભાવમાં ઘટાડો ચાલુ છે. જેના કારણે ખેડૂતો (Farmers) પરેશાન છે. ખેડૂતો મૂંઝવણમાં છે કે ભવિષ્યમાં ડુંગળીની ખેતી કરવી કે નહીં. સાથે જ કેટલાક ખેડૂતો હજુ પણ સારા ભાવ મળશે તેવી આશા સેવી રહ્યા છે. જોકે હવે ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ડુંગળી(Onion)ની વાવણી લગભગ શરૂ થઈ ગઈ છે. કૃષિ તજજ્ઞો કહે છે કે ખેડૂતો આ વખતે ગુણવત્તાયુક્ત બિયારણનો ઉપયોગ કરશે તો ઉપજમાં વધારો થશે. આ વર્ષે અત્યાર સુધીમાં, રાહુરીના મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટીએ 4 ટન બિયારણનું વેચાણ કર્યું છે અને બાકીના 10 ટન 759 કિલો બિયારણનું વેચાણ થવાની ધારણા છે. આ લાલ ડુંગળીના બીજ(Onion Seeds)નો ભાવ 2000 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો છે.

જો ખેડૂતો બિયારણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવશે તો તેમને સમયસર બિયારણ મળશે. યુનિવર્સિટીમાંથી બિયારણનો લાભ લેવા માટે ખેડૂતોએ https://www.phuleagromart.org આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. તેમજ નોંધાયેલા ખેડૂતોને યુનિવર્સિટી દ્વારા મોબાઈલ પર મેસેજ કરવામાં આવશે. નોંધાયેલ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પુરાવો, આધાર કાર્ડ, સાતબાર, બેંકમાં જમા કરાવ્યાની રસીદ સાથે રકમની રસીદ પણ લાવવાની રહેશે.

આ જાતના બિયારણ ખેડૂતો માટે ઉપલબ્ધ

મહારાષ્ટ્રની યુનિવર્સિટીઓ પણ ઉત્પાદકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નાસિક શહેરી વિસ્તારોમાં ડુંગળીના ઉત્પાદકોની જરૂરિયાતને સમજીને યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બીજનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વર્ષે મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટીએ ફૂલે સમર્થ અને બસવંત 780 જાતોના બિયારણનું ઉત્પાદન કર્યું છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 4 ટનથી વધુ બિયારણની ખરીદી કરી છે.

કૃષિ તજજ્ઞો કહે છે કે વરસાદની મોસમમાં ડુંગળીના બજાર બદલાવા લાગ્યા છે. આ ઉપરાંત ખરીફનું વાતાવરણ ડુંગળી માટે સારું માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર નાશિકમાં થાય છે અને તે પછી સોલાપુર જિલ્લો આવે છે. અન્ય જિલ્લાના ખેડૂતો પણ ડુંગળીના બિયારણ ખરીદવા રાહુરી યુનિવર્સિટીમાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી.જી. પાટીલ માને છે કે વરસાદ વધશે અને ડુંગળીના ભાવ જલ્દી સુધરશે.

ખેડૂતોનું શું કહેવું છે?

મહારાષ્ટ્ર ઓનિયન ગ્રોવર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ભરત દિખોલે કહે છે કે રાજ્યમાં આ સમયે વરસાદમાં વિલંબ થવાને કારણે ડુંગળીની વાવણી શરૂ થઈ નથી. જ્યારે મહારાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો માત્ર ઘરે ઉગાડવામાં આવતા બિયારણનો જ ઉપયોગ કરે છે. જે ખેડૂતો ઘરેલું બિયારણ વાપરી શકતા નથી, તેઓ સરકારી સંસ્થાઓ પાસેથી ખરીદે છે. અત્યારે કૃષિ યુનિવર્સિટીમાં લાલ ડુંગળીના બિયારણની કિંમત 2000 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. અગાઉ 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બિયારણ મળતું હતું.

આ વર્ષે રાજ્યમાં ખેડૂતોને ડુંગળીનો યોગ્ય ભાવ મળ્યો નથી. આવી સ્થિતિમાં 2000 રૂપિયા પ્રતિ કિલોના બિયારણ ખરીદવામાં સમસ્યા છે. દિઘોલે કહે છે કે બિયારણના ભાવ અંગે સંઘ તરફથી મેલ પણ આવ્યો હતો. પરંતુ સંસ્થા તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. ખેડૂતોની માગ છે કે બિયારણ 1500 રૂપિયા પ્રતિ કિલો મળવું જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">