જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદના એક ખેડૂત (Farmer)ને તેના જન ધન ખાતામાં 15 લાખ રૂપિયા મળ્યા ત્યારે તેણે વિચાર્યું કે સરકારે જે વચન આપ્યું હતું એ રૂપિયા આપ્યા છે. આ માટે ખેડૂતે પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો આભાર પણ માન્યો છે. પરંતુ 5 મહિના પછી જે થયું તે ખેડૂતે સપનામાં પણ વિચાર્યું ન હતું. પેઠણ તાલુકાના દાવરવાડીના ખેડૂત જ્ઞાનેશ્વર જનાર્દન ઓટ્ટેનું જન ધન ખાતું બેંક ઓફ બરોડામાં છે. તે ખાતામાં 17 ઓગસ્ટ 2021ના રોજ 15 લાખ રૂપિયા જમા થયા હતા.
ખેડૂતને લાગ્યું કે વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં આપેલા વચનને અનુસરીને ખેડૂતના જનધન ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. આ પછી ખેડૂતે એ પૈસામાંથી 9 લાખ રૂપિયા ઉપાડ્યા અને પોતાના માટે ઘર બનાવ્યું. ત્યારે આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા.
જ્યારે પાંચ મહિના બાદ બેંક તરફથી નોટિસ મળી ત્યારે ખેડૂત ઝાનેશ્વરના હોશ ઉડી ગયા હતા. જેમાં બેંકમાંથી નોટિસ મળી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમના ખાતામાં રકમ ખોટી રીતે જમા કરવામાં આવી છે. તેથી તેણે હવે તે રકમ પરત કરવી પડશે. વાસ્તવમાં બેંકે તેને ભૂલ ગણાવીને પૈસા પાછા જમા કરવાનું કહ્યું. હવે મામલો એટલો વધી ગયો છે કે પૈસા ન આપી શકવાને કારણે બેંક સતત ખેડૂત પર દબાણ કરી રહી છે. બીજી તરફ પરેશાન ખેડૂત ઝાનેશ્વરનું કહેવું છે કે તે આ રકમ ક્યાંથી લાવે. તેની પાસે એટલા પૈસા નથી.
આ રકમ પિંપલવાડી ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરવાની હતી, જ્યારે બેન્કર્સનું કહેવું છે કે પિંપલવાડી ગ્રામ પંચાયતને 15માં નાણાં પંચમાંથી જિલ્લા પરિષદ પાસેથી મળેલી રકમ મળી નથી. ત્યારબાદ 4 મહિના પછી જ્યારે ગ્રામ પંચાયતને ખબર પડી કે આ પૈસા ઝાનેશ્વરના ખાતામાં આવી ગયા છે. જેથી બેંકે તેમની પાસેથી રકમ પરત કરવા નોટિસ મોકલી છે.
આ પણ વાંચો: Viral: આ ‘છોટી દીપિકા’ ના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એક્સપ્રેશન્સ પર રણવીર સિંહ થયો ફિદા
આ પણ વાંચો: Success Story: ફુલોની ખેતી કરે છે આ પ્રગતિશીલ ખેડૂત, ખુબ જ રસપ્રદ છે રણબીર સિંહની કહાની