AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umesh Kolhe murder case: NIAની વિશેષ અદાલતે સાત આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

NIAએ મહારાષ્ટ્રના ઉમેશ કોલ્હે હત્યા કેસમાં સાત આરોપીઓને અમરાવતીની વિશેષ NIA કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

Umesh Kolhe murder case: NIAની વિશેષ અદાલતે સાત આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
ઉમેશ કોલ્હે હત્યા કેસમાં NIA કોર્ટમાં સુનાવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 5:08 PM
Share

NIAએ મહારાષ્ટ્રના ઉમેશ કોલ્હે (Umesh Kolhe) હત્યા કેસમાં (Murder case)સાત આરોપીઓને અમરાવતીની વિશેષ NIA કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈ સેશન્સ કોર્ટે આ મામલે 15 જુલાઈએ સુનાવણી કરી હતી. કોર્ટે ઉમેશ કોલ્હેની હત્યા સાથે સંબંધિત સાત આરોપીઓને NIA (નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી)ની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડી પૂરી થયા બાદ તેને આજે NIAની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ફરીથી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરવામાં આવી હતી

જણાવી દઈએ કે ઉદયપુરના કન્હૈયાલાલની જેમ અમરાવતીના મેડિકલ સ્ટોરના માલિક ઉમેશ કોલ્હેની પણ 21 જૂને હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઉમેશ કોલ્હેએ ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પછી ભાજપના નેતા અનિલ બોંડેએ ખુલાસો કર્યો હતો કે ઉમેશ કોલ્હેને નૂપુર શર્માને સમર્થન આપવા માટે ઘણી ધમકીઓ મળવા લાગી હતી, પરંતુ શરૂઆતમાં અમરાવતી પોલીસે લૂંટના ઈરાદે હત્યાનો કેસ નોંધ્યો હતો.

20 જૂનનો પ્લાન બદલ્યો, 21ના રોજ હત્યા કરી

ઉમેશ કોલ્હેની હત્યા કરવાનો આરોપીનો પ્લાન 20 જૂને હતો. તેણે અગાઉ કોલ્હેની મેડિકલ શોપની પણ તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તે 10 વાગ્યા પછી દુકાનમાંથી ઘરે જવા નીકળે છે, પરંતુ 20 જૂનની રાત્રે આવું બન્યું ન હતું. તે દિવસે ઉમેશ કોલ્હે દુકાનેથી વહેલો ઘરે જવા નીકળી ગયો હતો. 20 જૂનની રાત્રે તેઓ 9.30 વાગ્યે દુકાન બંધ કરી ગયા હતા, જેના કારણે હત્યારાઓએ પ્લાન બદલવો પડ્યો હતો અને પછી બીજા દિવસે 21 જૂનની રાત્રે તેઓ પર હુમલો થયો હતો.

આ મામલામાં અમરાવતીના સાંસદ નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે અમરાવતી પોલીસ કમિશનર અને કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ આરોપીઓ NIAની કસ્ટડીમાં છે

સાત આરોપીઓ મુદસ્સર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22), આતિબ રશીદ (22) અને ડો. યુસુફ ખાન બહાદુર ખાન (44)ની NIA દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને કથિત મુખ્ય કાવતરાખોરો શેખ ઈરફાન શેખ રહીમ છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપી શમીમ અહેમદને પણ શોધી રહી છે.

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">