SURENDRANAGAR : પથ્થરની ખાણની આડમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ખાણ વિસ્તારમાં રેડ કરતા દસ હજાર લીટર બાયો ડીઝલ, ઇલેકટ્રીક મોટર, પંપ સહિત રૂપીયા 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:38 PM

SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લાખાવડ ગામે બાયોડીઝલનો ગેરકાયદે વેપાર ઝડપાયો છે. સાયલા તાલુકાના લાખાવડ ગામે પથ્થરની ખાણમાં ગેરકાયદે ધમધમતા બાયો ડીઝલના પંપ પર પોલીસે રેડકરી હતી. પોલીસે ખાણ વિસ્તારમાં રેડ કરતા દસ હજાર લીટર બાયો ડીઝલ, ઇલેકટ્રીક મોટર, પંપ સહિત રૂપીયા 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ કરતા બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરનાર આરોપીઓ સ્થળ પરથી નાસી છુટ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના નામે વેચાઈ રહેલા ભળતા પદાર્થો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ પ્રકારના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે ગત જુલાઈ મહિનામાં CM નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રકારના પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા આગામી દિવસોમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલની કમિટીની પણ રચના કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાં બાયોડીઝલની રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી હતી. કારંજ GIDC અને ભાટપોલ ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 11 ટેન્કરો બાયોડીઝલના કબ્જે કર્યા હતા, જેમાં કુલ 1.5 લાખ લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : World Sanskrit Day 2021: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્ર સરકારે કરી નવી શરૂઆત, જુઓ Video

આ પણ વાંચો : World Sanskrit Day 2021: વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું “લોકોએ વધુને વધુ સંસ્કૃત વાંચવું જોઈએ”

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">