SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત

સરકાર દ્વારા એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ સરકારી વિભાગોમાં જ ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયો છે તે દર્શાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા છે.

SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત
SURAT: Deputy tax commissioner on duty in Nanpura multi-storey building caught taking bribe
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 04, 2021 | 1:43 PM

સરકાર દ્વારા એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ સરકારી વિભાગોમાં જ ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયો છે તે દર્શાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા છે. તેમની સાથે અન્ય 3 વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે.

ભાગીદારી પેઢી ધરાવતા એક ફરિયાદીએ વર્ષ 2015-16ના જીએસટી રિટર્ન ભર્યા ન હતા. જેથી જીએસટી વિભાગ દ્વારા નિયમ પ્રમાણે તેમનો જીએસટી નંબર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફરિયાદીએ પોતાનો જૂનો જીએસટી નંબર ફરી શરૂ કરવા માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં નાયબ રાજ્ય વેરા કમિશનર નરસિંહ પાંડોરનો સંપર્ક કર્યો હતો. જેમણે તેમના ઓળખીતા અન્ય એક વકીલ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા કિશોર પટેલને મળીને તેમનું નામ આપીને જીએસટી નંબર ચાલુ કરવા ફાઇલ તૈયાર કરવા જણાવ્યું હતું.

એટલું જ નહીં તેના માટે તેઓએ રૂ.2 લાખની લાંચની માંગણી પણ કરી હતી. ફરિયાદીએ તે સમયે વકીલને 50 હજાર રૂપિયા આપ્યા હતા. અને બાકીના દોઢ લાખ રૂપિયા ઓછું કરવાનું કહેતા સોદો 1 લાખ ફુપિયામાં નક્કી કરી જીએસટી નંબર શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જોકે તે બાદ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને નાયબ રાજ્ય વેરા કમિશનર, ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલ સહિત અન્ય બે આરોપી ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલની પણ ધરપકડ કરી હતી.

એસીબીની ટીમે આરોપીઓ પાસેથી તેમણે લીધેલી 1 લાખ રૂપિયાની લાંચની રકમ પણ કબ્જે કરી છે. આમ, સરકારી કામ કરાવવા માટે નીચલા કર્મચારીથી લઈને ઉપલા અધિકારીઓ સુધી ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપક છે તે ફરી એકવાર સાબિત થયું છે.

આ પણ વાંચો :  BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા

આ પણ વાંચો :  National Teachers Award: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં 44 ગુરુજનોનું કરાશે સન્માન, વાંચો સન્માન પામનારા શિક્ષકોનું લિસ્ટ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">