AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

રાત્રિના સમયે પોતાના પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને ઝુપડીમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યુ હતુ. જે કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એન. અંજારીઆએ આરોપીને આજીવન કેદની સજા (Life imprisonment) સંભળાવી છે.

Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા
Surat: Accused of raping five-year-old girl in Sachin sentenced to life imprisonment
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 2:14 PM
Share

સુરતના (Surat) સચિન જીઆઈડીસી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને જિલ્લા કોર્ટે (Surat District Court) આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 50 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. બે વર્ષ પહેલા સચિન જી.આઈ.ડી.સી.ના નવા બાંધકામવાળા ખાતાના પહેલા માળે રાત્રિના સમયે પોતાના પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને ઝુપડીમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યુ હતુ. જે કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એન. અંજારીઆએ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.

શું હતો સમગ્ર કેસ?

આ કેસની વાત કરીએ તો 09 ડિસેમ્બર 2020ના રોજ રાત્રિના સમયે સચિન જી.આઈ. ડી.સી લક્ષ્મી ટેક્ષટાઈલ પાર્ક નવા બાંધકામવાળા ખાતાના પહેલા માળે પાંચ વર્ષની બાળકી તેના પિતા સાથે સુતી હતી.આ ગુનાના આરોપી મુકેશ શાહે તમામ સૂતા હોવાનો મોકો ઝડપી લીધો હતો અને પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને લક્ષ્મી ટેક્સટાઈલ પાર્કની પાછળ ઈલેકટ્રીક લાઈનની નીચે ખુલ્લી ઝાડી ઝાખરા વાળી જગ્યામાં લઈ ગયો હતો. ત્યાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તે ફરાર થઈ ગયો હતો.

દુષ્કર્મના કેસમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આમ, આરોપી મુકેશ શાહ વિરૂદ્ધ પુરતો પુરાવો મળતા  4 જાન્યુઆરી 2021ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવતા આ કેસ નામદાર ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જડજ એ.એન.અંજારીઆની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અને આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા સાથે કેસ પુરવાર થયો હતો. કોર્ટે આરોપીને 30 એપ્રિલ 2022 રોજ દોષિત ઠેરવ્યો હતો અને આજીવન કેદ એટલે કે બાકી જીંદગીના વર્ષ સુધીની સખત કેદની સજા ફટકારી છે અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-Gujarat Foundation Day: પાટણ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">