AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : ઉતરાયણ તહેવારમાં જ યુવકને જાહેરમાં રહેંસી નંખાયો, હત્યારાઓનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

મૃતકના પિતાએ જણાવ્યું કે મોનુ તેના મિત્રો રાજા અને નિલેશ સાથે બહાર ફરવા ગયો હતો. તેના બંને મિત્રોની સામે જ હુમલાખોરોએ મોનુ પર છરી વડે 15-20 હુમલા કર્યા હતા.

સુરત : ઉતરાયણ તહેવારમાં જ યુવકને જાહેરમાં રહેંસી નંખાયો, હત્યારાઓનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ
Surat: A young man was killed in public during the Uttarayan festival
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:56 PM
Share

Surat : ઉત્તરાયણના દિવસે શહેરના પાંડેસરા વિજયનગર મેઇન રોડ પર રહેતા યુવકની (Youth) જાહેર માર્ગ પર જ 6 થી 7 લોકોએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા (Murder) કરી નાખી હતી. 5 મહિના પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા હુમલાખોરોએ મોનુ નામના યુવકની તેના મિત્રોની સામે જ હત્યા કરી નાખી હતી. આ પહેલા પણ આકાશ નામના અન્ય એક યુવકની આ જ હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.

હત્યા મામલે સામે આવી ચોંકાવનારી વાત

સૌથી ચોંકાવનારી વાત એ છે કે મોનુની હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. મૃતકના પિતા બ્રિજપાલ સિંહે જણાવ્યું કે મોનુ તેમના ત્રણ સંતાનોમાં સૌથી મોટો હતો. કેટલાક સમયથી તેના લગ્નની વાતો પણ ચાલી રહી હતી. પરંતુ આ રીતે તહેવારના દિવસે જ તેમના પુત્રની હત્યાથી તેઓ આઘાતમાં આવી ગયા છે.

હત્યાના કારણનો થયો ખુલાસો

મૃતકના પિતાએ જણાવ્યું કે મોનુ તેના મિત્રો રાજા અને નિલેશ સાથે બહાર ફરવા ગયો હતો. તેના બંને મિત્રોની સામે જ હુમલાખોરોએ મોનુ પર છરી વડે 15-20 હુમલા કર્યા હતા. મૃતકના પિતાનું કહેવું છે કે પુત્રની હત્યા કરનાર વ્યક્તિ મોટો બુટલેગર છે અને તેની ઓળખ પણ બહુ ઊંચી છે. આરોપીઓએ હુમલો કરવામાં તેમના પુત્રના શરીરનો એક પણ ભાગ છોડ્યો ન હતો. આખા શરીરમાં માત્ર છરીના ઘા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમને પોલીસ પાસેથી જ ન્યાયની આશા છે.

આ પણ વાંચો : Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે

આ પણ વાંચો : ખેડૂતોએ જાન્યુઆરી માસમાં રીંગણ, લીંબુ, લસણ અને ડુંગળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">