AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વરાછામાં શાકભાજીની ખરીદી મહિલાને 72 હજારમાં પડી, અજાણી મહિલા નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી રફુચક્કર

જયાબેન છેલ્લે મસાલાની દુકાનમાં ગયા ત્યારે તેમને સોનાની ચેઈન ચોરાય હોવાની ખબર પડી હતી. ઘરે આવ્યા બાદ પતિ સહિત પરિવારના સભ્યોને વાત કરી હતી. અને ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે જયાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : વરાછામાં શાકભાજીની ખરીદી મહિલાને 72 હજારમાં પડી, અજાણી મહિલા નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી રફુચક્કર
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 21, 2021 | 5:44 PM
Share

Surat :  અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતા ગતરોજ તેની વેવાણ સાથે વરાછામાં ભરતનગરમાં આવેલ શાકભાજીની માર્કેટમાં ખરીદી માટે ગઈ હતી. આ સમયે કોઈ અજાણી મહિલાએ પરિણીતાની નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની 72 હજારની ચેઇન ચોરી ફરાર થઇ ગઈ હતી.

જેથી બાદમાં પરિણીતાને ઘરે આવીને આ વાતની જાણ થઇ હતી. જેથી આખરે બાદમાં તેણીએ વરાછા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચેઇન ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે અમરોલી રીલાયન્સ નગરમાં રહેતા મૂળ જામનગરના વતની 45 વર્ષીય જયાબેન કનુભાઈ સોલંકી ગત તા 16મીના રોજ તેના વેવાણ સવીતાબેન સાથે સાંજે વરાછા ભરતનગરમાં આવેલ માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગયા હતા.

બંને જણાએ શાકભાજી ખરીદ્યા બાદ ત્યાંથી સાડીની દુકાને અને કટલરીની દુકાને ગયા હતા. આ સમયગાળા દરમ્યાન કોઈ અજાણી મહિલાએ ભીડનો લાભ ઉઠાવી જયાબેનની નજર ચુકવી તેમના ગળામાંથી રૂપિયા 72,069 ના મતાની સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી નાસી ગઈ હતી.

જયાબેન છેલ્લે મસાલાની દુકાનમાં ગયા ત્યારે તેમને સોનાની ચેઈન ચોરાય હોવાની ખબર પડી હતી. ઘરે આવ્યા બાદ પતિ સહિત પરિવારના સભ્યોને વાત કરી હતી. અને ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે જયાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : PAPER LEAK : કમલમમાં જે રીતે કાર્યકરો ઘુસ્યા એ આવકાર્ય નથી, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં ચલાવી નહીં લેવાય : પાટીલ

આ પણ વાંચો : Rajya Sabha: TMC નેતા ડેરેક ઓ’બ્રાયને મહાસચિવ પર રૂલ બુક ફેંકી, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલે વ્યક્ત કરી નારાજગી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">