AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને નારાયણ સાંઈની ફરલો પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે
Narayan Sai File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 12:20 PM
Share

Narayan Sai: સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આજીવન કેદ (Life Imprisonment)ની સજા ભોગવી રહેલા આસારામ (Asaram Bapu))ના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai)ની બે સપ્તાહની ફરલો પર રોક લગાવી દીધી છે. હકીકતમાં, ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) નારાયણ સાંઈને બે સપ્તાહનો ફરલો (furlough)આપ્યો હતો. હાઇકોર્ટના નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને નારાયણ સાંઈની ફરલો પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી છે.

ગુજરાત સરકાર વતી એસજી તુષાર મહેતા હાઈકોર્ટના જૂનના આદેશને પડકારવા હાજર થયા હતા. અગાઉ નારાયણ સાંઈએ 14 દિવસ માટે જામીન માંગ્યા હતા, ત્યારબાદ હાઈકોર્ટે સાંઈની અરજી મંજૂર કરી હતી.

આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને સજાની જાહેરાત કરવામાં આવી હતી. નારાયણને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ સાથે તેની પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઇને સુરતની બે બહેનો પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે લગભગ 11 વર્ષ જૂના કેસમાં સજાની જાહેરાત કરી હતી. 

ઘટનાસ્થળેથી મળ્યા હતા પુરાવા 

પોલીસે પીડિત બહેનોના નિવેદન પર નારાયણ સાંઈ અને આસારામ સામે કેસ નોંધ્યો હતો. આ સાથે, પોલીસને સ્થળ પરથી ઘણા પુરાવા મળ્યા હતા. પીડિતાની નાની બહેને પોલીસને નારાયણ સાંઈ વિરુદ્ધ નક્કર પુરાવા આપ્યા હતા. આ સાથે, તક-એ-ઘટનામાંથી મળેલા પુરાવાઓની પણ ઓળખ કરવામાં આવી હતી.

અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો સાંઈ

મોટી બહેને આસારામ વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. કેસ નોંધાયા બાદ સાંઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. લગભગ બે મહિના પછી, ડિસેમ્બર 2013 માં, તેની હરિયાણા-દિલ્હી બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.  ઝડપાયો ત્યારે તે એક શીખના વેશમાં ફરતો હતો.

આશ્રમમાં જાતીય શોષણ

એક બહેને 2002 થી 2005 વચ્ચે સુરતમાં આશ્રમમાં રહેતી વખતે તેના પર જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની મોટી બહેને આસારામ પર આરોપ લગાવ્યો હતો કે 1997 થી 2006 દરમિયાન અમદાવાદમાં આશ્રમમાં રહેતી વખતે તેની પર જાતીય શોષણ કર્યું હતું.

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">