સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને નારાયણ સાંઈની ફરલો પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે
Narayan Sai File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 12:20 PM

Narayan Sai: સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આજીવન કેદ (Life Imprisonment)ની સજા ભોગવી રહેલા આસારામ (Asaram Bapu))ના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai)ની બે સપ્તાહની ફરલો પર રોક લગાવી દીધી છે. હકીકતમાં, ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) નારાયણ સાંઈને બે સપ્તાહનો ફરલો (furlough)આપ્યો હતો. હાઇકોર્ટના નિર્ણયને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને નારાયણ સાંઈની ફરલો પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી છે.

ગુજરાત સરકાર વતી એસજી તુષાર મહેતા હાઈકોર્ટના જૂનના આદેશને પડકારવા હાજર થયા હતા. અગાઉ નારાયણ સાંઈએ 14 દિવસ માટે જામીન માંગ્યા હતા, ત્યારબાદ હાઈકોર્ટે સાંઈની અરજી મંજૂર કરી હતી.

આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને સજાની જાહેરાત કરવામાં આવી હતી. નારાયણને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ સાથે તેની પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઇને સુરતની બે બહેનો પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે લગભગ 11 વર્ષ જૂના કેસમાં સજાની જાહેરાત કરી હતી. 

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ઘટનાસ્થળેથી મળ્યા હતા પુરાવા 

પોલીસે પીડિત બહેનોના નિવેદન પર નારાયણ સાંઈ અને આસારામ સામે કેસ નોંધ્યો હતો. આ સાથે, પોલીસને સ્થળ પરથી ઘણા પુરાવા મળ્યા હતા. પીડિતાની નાની બહેને પોલીસને નારાયણ સાંઈ વિરુદ્ધ નક્કર પુરાવા આપ્યા હતા. આ સાથે, તક-એ-ઘટનામાંથી મળેલા પુરાવાઓની પણ ઓળખ કરવામાં આવી હતી.

અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો સાંઈ

મોટી બહેને આસારામ વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. કેસ નોંધાયા બાદ સાંઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. લગભગ બે મહિના પછી, ડિસેમ્બર 2013 માં, તેની હરિયાણા-દિલ્હી બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.  ઝડપાયો ત્યારે તે એક શીખના વેશમાં ફરતો હતો.

આશ્રમમાં જાતીય શોષણ

એક બહેને 2002 થી 2005 વચ્ચે સુરતમાં આશ્રમમાં રહેતી વખતે તેના પર જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની મોટી બહેને આસારામ પર આરોપ લગાવ્યો હતો કે 1997 થી 2006 દરમિયાન અમદાવાદમાં આશ્રમમાં રહેતી વખતે તેની પર જાતીય શોષણ કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">