Vadodara: નવસારીની (Navsari) યુવતીની આત્મહત્યા (Suicide) અને દુષ્કર્મને કારણે ચર્ચામાં આવેલી ઓએસીસ (oasis) સંસ્થાના સમર્થનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા છે. સંસ્થામાં કોર્સ કરતા યુવક-યુવતીઓ અને તેમના વાલીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, પોલીસ કમિશનર ઉપસ્થિત ન હોવાથી તેઓ રજૂઆત કરી શક્યા ન હતા. પોલીસ કમિશનર કચેરી બહાર તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે.
નવસારીની યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના રહસ્યમય કેસના મુદ્દે પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યુવતી સાથે ખરેખર દુષ્કર્મ થયું હતુ. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરે દુષ્કર્મ થયું હતું અને 4 નવેમ્બરે મૃતદેહ મળ્યો હતો. જેથી જરૂરી નમૂનાઓ નાશ પામ્યા હોવાથી ફોરેન્સિક રિપોર્ટ નથી મળ્યા જોકે યુવતીના શરીરના અલગ અલગ ભાગોમાં ઇજાઓ થઈ હોવાનું ખુલ્યું છે તેમજ ઓરલ એવીડન્સ પરથી યુવતી પર ગેંગરેપ થયો હોવાનું પુરવાર થાય છે.
ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ઓએસીસ સંસ્થાની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરીને ઘટનાની જાણ હોવા છતાં તેને છુપાવી હતી તેવી માહિતી બહાર આવી હતી. પોલીસને તેમજ પીડિતાના પરિવારને આ ઘટનાની જાણ નહીં કરતા સંસ્થા પણ શંકાના દાયરામાં આવી છે. આથી પોલીસ કમિશનરે સંસ્થા સામે તપાસના આદેશ કર્યા હતા.
કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા
નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે.
સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા
નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. એવામાં ઓએસીસ સંસ્થા ફરી એકવાર વિવાદમાં આવતા સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા છે.
આ પણ વાંચો: મદરેસામાં કુકર્મ, મૌલાનાએ આચર્યુ દુષ્કર્મ! સેલવાસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ બાદ આરોપી મૌલવીની ધરપકડ
આ પણ વાંચો: આજથી 5 ડિસેમ્બર સુધી ભાજપની સંવિધાન ગૌરવ યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાની કરાવશે શરૂઆત