પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની હત્યાનો થયો ખુલાસો, પત્નીએ કરી હતી હત્યા જાતે જ બતાવ્યો હત્યા કરવાનો આખો પ્લાન
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન.ડી.તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી છે. અપૂર્વા સાથે ક્રાઈમબ્રાંચ છેલ્લા ત્રણ દિવસથી પૂછતાછ કરી રહી હતી. અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અને લાંબ સમય સુધી પોલીસને તેમની વાતોમાં લઈને ફસાવતા હતા. તેમને પોલીસને આપેલા નિવેદનો તેઓ સતત બદલતા રહેતા […]
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન.ડી.તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી છે.
અપૂર્વા સાથે ક્રાઈમબ્રાંચ છેલ્લા ત્રણ દિવસથી પૂછતાછ કરી રહી હતી. અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અને લાંબ સમય સુધી પોલીસને તેમની વાતોમાં લઈને ફસાવતા હતા. તેમને પોલીસને આપેલા નિવેદનો તેઓ સતત બદલતા રહેતા હતા. તે કારણથી પોલીસને શંકા જતા તે પોલીસના સંકજામાં આવી ગઈ છે.
અપૂર્વાની ધરપકડ પછી આ કેસમાં ઘણાં નવા ખુલાસા થવાની શક્યતાઓ છે. પોલીસે આ મામલે કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેની હેઠળ પોલીસે અપૂર્વાની ધરપકડ કરી છે. રોહિતની માતા ઉજ્જવલા કહી રહ્યાં હતા કે તેમનો પુત્ર તણાવમાં હતો. તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો. તે પછી તેમને કહ્યું કે લગ્નના પહેલા દિવસથી જ બંનેની વચ્ચે તણાવ હતો. તેમની વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા.
રોહિત તેની ફ્રેન્ડની જોડે દારૂ પી રહ્યો હતો અને તેની પત્ની અપૂર્વાએ તેને જોઈ લીધો હતો. ત્યારે અપૂર્વા તેના પિયરવાળા લોકો માટે અલગ મકાન બનાવવાને લઈને પણ રોહિતની સાથે તેનો ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન રોહિતનું ગળુ દબાવીને તેનુ મોત કર્યુ હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]