RAJKOT : ધાર્મિક પ્રસંગમાં ન લઇ જતા 10 વર્ષની દિકરીએ કરી આત્મહત્યા, બાળાને ક્રાઇમ આધારીત સિરીયલો જોવાની આદત હતી

આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે.જે ઉંમરમાં જીવન અને મરણ વચ્ચેનો તફાવત પણ ન ખબર હોય તેવી ઉંમરમાં આત્મહત્યા જેવું પગલું ભરવું ખૂબ જ ચિંતાજનક છે.દરેક માતા પિતાએ તેના બાળકો સાથે સ્નેહ પ્રેમ અને લાગણીસભર વ્યવહાર કરવો જોઇએ અને તેના વર્તન પર બરાબર નજર રાખવી જરૂરી છે.

RAJKOT : ધાર્મિક પ્રસંગમાં ન લઇ જતા 10 વર્ષની દિકરીએ કરી આત્મહત્યા, બાળાને ક્રાઇમ આધારીત સિરીયલો જોવાની આદત હતી
બાળકીનો આપઘાત
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 13, 2021 | 3:17 PM

આપ અથવા તો આપનું બાળક ઘરે ટીવીમાં આવતી ક્રાઇમની સિરીયલો જોતા હોય તો ચેતી જજો કારણ કે રાજકોટમાં એક ધાર્મિક કાર્યક્રમમાં જવા ન મળતા ધોરણ ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની દિકરીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરની શેરી નંબર ૨માં રહેતી ખુશાલી કપિલભાઇ ચૌહાણ નામની બાળાએ પોતાના મકાનના ઉપરના ભાગે ગળેફાંસો લગાવી લેતા તેનું મોત નીપજ્યું હતું.

બે વખત ફાંસો લગાવવાનો પ્રયત્ન કર્યો,ક્રાઇમની સિરીયલ જોવાની ટેવ હતી-ખુશાલીના કાકા

દિકરીના કાકાના કહેવા પ્રમાણે ખુશાલીના માતા પિતા ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા જો કે ત્યાં ખુશાલીને પણ જવું હતું પરંતુ ખુશાલીને ન લઇ ગયા જેથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.ખુશાલીના કાકાના કહેવા પ્રમાણે તેને બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો એક વખત નિષ્ફળ થયા બાદ બીજી વખત સેટી પર ખુરશી રાખીને દુપટ્ટો છત સાથે બાંઘ્યો હતો અને તેમાં લટકાયને મૃત્યુ પામી હતી.ખુશાલીના કાકાના કહેવા પ્રમાણે તે ટીવીમાં આવતી ક્રાઇમ સિરીયલો જોવાની ટેવવાળી હતી જેથી તેમાંથી જોઇને આ પગલું ભર્યું હોવાની શંકા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બાળક એકલું પડી જતું હોય છે,તે એકલું ન પડે તેની તકેદારી રાખવી-મનોવૈગ્નાનિક વિભાગ.

બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈગ્નાનિક વિભાગે આ કિસ્સાના ચેતવણીરૂપ ગણાવ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિભાગના પ્રોફેસર ધારા દોશીના કહેવા પ્રમાણે મોબાઇલના યુગમાં બાળકો એકલા પડી ગયા છે.માતા પિતા પણ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે ત્યારે આવી સ્થિતિમાં બાળકો એકલા ન પડે તેની તકેદારી રાખવી જોઇએ.ટીવીમાં આવતી ગુનાહિત પ્રવૃતિ દર્શાવતી સિરીયલો જોવાનું ટાળવું જોઇએ જેથી બાળકોના માનસ પર વિપરીત અસર ન પડે.

આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે.જે ઉંમરમાં જીવન અને મરણ વચ્ચેનો તફાવત પણ ન ખબર હોય તેવી ઉંમરમાં આત્મહત્યા જેવું પગલું ભરવું ખૂબ જ ચિંતાજનક છે.દરેક માતા પિતાએ તેના બાળકો સાથે સ્નેહ પ્રેમ અને લાગણીસભર વ્યવહાર કરવો જોઇએ અને તેના વર્તન પર બરાબર નજર રાખવી જરૂરી છે.

આ પણ વાંચો : નવસારીઃ વાંસદાના ઉનાઈના ચરવી ગામે બાળક પર દીપડાનો હુમલો, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">