જરૂર ના હોવા છતા રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોકટર સામે પોલીસ કેસ

જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસમાં ડૉક્ટરે રેમડેસિવીર ઇન્જેક્શનનો ( remdesivir injections ) દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે આરોગ્ય અધિકારીએ, ખોટી રીતે પ્રિસ્ક્રિપ્શન ( Prescription ) લખનારા ડૉક્ટર વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધવી છે

જરૂર ના હોવા છતા રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોકટર સામે પોલીસ કેસ
રેમડેસિવીર ઈન્જેશન અંગે પ્રિસ્ક્રિપ્શન લખતા તબીબની પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 9:40 AM

કોરોનાના દર્દીને રેમડેસિવીર ઈન્જેકશનની ( remdesivir injections ) જરૂર ના હોવા છતા, ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન ( Prescription ) લખી આપનારા ડોકટર ઉપર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. ગુજરાતમાં હાલ, કોરોનાની ( Corona ) સુનામી ચાલી રહી છે. એવા સમયે શ્વાસની ગંભીર તકલીફ સાથે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. અને રોજબરોજ વધી રહી છે.

આવા દર્દીઓને રેમડેસિવીર ઈન્જકેશન તબીબોની દેખરેખ હેઠળ આપવાનું હોય છે. પરંતુ કેટલાક સંગ્રહાખોરો તેમના ફેમિલી ફિઝીશીયન, તબીબો પાસે ખોટુ રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રીપ્શન લખાવી લે છે. અને તેના આધારે રેમડેસિવીર ઈન્જેકશન જરૂર ના હોય તો પણ ખરીદવા માટે ફાફા મારી જ્યા ઈન્જેકશન મેળવવા લાઈન હોય ત્યા ગોઠવાઈ જાય છે.

બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લામાં પણ રેમડેસિવીર ઈન્જેશનની અછત સર્જાતા, જિલ્લા આરોગ્ય વિભાગે, કોરોનાના દાખલ થયેલા દર્દીઓના આંકડાકીય વિગતોના આધારે કેટલીક તપાસ કરતા જેમને જરૂર ના હોય તેવા લોકો પણ રેમડેસિવીર ઈન્જેકશન મેળવતા હોવાની વિગતો સામે આવી હતી. આવા કિસ્સામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ, ઊડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રીપ્શન લખી આપનારા ડોકટર સામે પોલીસ કરીને ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દર્દીઓને રજા અપાઈ ગઈ હોવા છતાં પાલનપુરની (palanpur ) ભૂમાકેર હોસ્પિટલના ડૉક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવ્યા હતા. જે મામલે આરોગ્ય અધિકારીએ પોતીની ટીમ સાથે ભૂમાકેર હોસ્પિટલમાં ( bhumacare hospital ) તપાસ હાથ ધરી હતી. જેમાં 6 રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અંગે ડોકટરની ગેરરીતિ સામે આવી હતી. આરોગ્ય વિભાગે ડિઝાસ્ટર અને એપીડમિક એક્ટ હેઠળ ડોકટર સામે કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય અધિકારીની તપાસમાં ડૉક્ટરે રેમડેસિવીર ઇન્જેક્શનનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે (Palanpur West Police Station ) આરોગ્ય અધિકારીએ ડૉક્ટર વિરુદ્ધ ફરીયાદ નોંધવી છે.

ભૂમાકેર હોસ્પિટલના 6 દર્દીઓના ડોક્યુમેન્ટ મેળવી ભુમાકેર હોસ્પિટલના ડૉક્ટરે પાલનપુર સિવિલમાંથી રેમડેસિવિર મેળવ્યા હોવાનું આરોગ્ય અધિકારીની તપાસમાં સામે આવ્યું હતું. આક્ષેપિત ડૉકટર આ મામલે પોતાનો લુલો બચાવ કરતા જોવા મળ્યો. ડૉકટરનું કહેવું છે કે દર્દીઓની સારવાર અહીં થતી હતી. તમને દર્દીઓના ડોક્યુમેન્ટને આધારે ઇન્જેક્શન મેળવી તેમની સારવાર કરી હતી. પરંતુ આરોગ્ય વિભાગ સામે ગુનો કબુલનાર ડૉક્ટરે પોતે નિર્દોષ હોવાનુ સતત રટણ કર્યે રાખ્યુ છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">