AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Money Laundering Case: દાઉદની બહેન હસીના પારકરના ઘરે EDના દરોડા, મુંબઈમાં D કંપનીના અનેક સ્થળો પર દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પાર્કર્સના ઘરે દરોડા પાડ્યા હતા. આ સિવાય EDએ દાઉદ કંપનીના અનેક સ્થળો પર પણ દરોડા પાડ્યા છે.

Mumbai Money Laundering Case: દાઉદની બહેન હસીના પારકરના ઘરે EDના દરોડા, મુંબઈમાં D કંપનીના અનેક સ્થળો પર દરોડા
The Enforcement Directorate has recently registered a case against underworld gangster Dawood Ibrahim
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 12:13 PM
Share

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) બહેન હસીના પાર્કર્સના (Hasina Parker) ઘરે દરોડા પાડ્યા હતા. આ સિવાય EDએ દાઉદ કંપનીના અનેક સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ચલાવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુંબઈમાં ડી કંપનીના અનેક સ્થળોની તપાસ કરી રહ્યું છે. આ સિવાય સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આવા ઘણા નેતાઓની પ્રોપર્ટી અને પૈસાની લેવડ-દેવડની તપાસ કરી રહી છે જેમના વાયર ડી કંપની સાથે જોડાયેલા છે.

આ અગાઉના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે જેમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સામેલ છે. પ્રોપર્ટીનો સોદો છે જેની તપાસ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ, મિલકતોની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ અને હવાલા દ્વારા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

મહારાષ્ટ્રની રાજધાનીમાં લગભગ 10 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, 1993ના મુંબઈ બોમ્બ ધડાકાના મુખ્ય કાવતરાખોર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ ઈડી દ્વારા સ્વતંત્ર રીતે મળેલી કેટલીક ગુપ્ત માહિતી અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ગેરકાયદે હોર્સ ટ્રેડિંગ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ પણ એજન્સીના રડારમાં છે.

દાઉદ ઈબ્રાહિમ હજુ પણ પોલીસની પકડથી દૂર

તમને જણાવી દઈએ કે, મુંબઈ વિસ્ફોટ દરમિયાન દાઉદ ઈબ્રાહિમ સિવાય છોટા શકીલ, સલીમ ગાઝી, ટાઈગર મેનન અને તેના પરિવારના સભ્યો પણ સામેલ હતા. તે હુમલામાં લગભગ 250 લોકોના મોત થયા હતા જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મુંબઈ સિરિયલ બ્લાસ્ટ દાઉદ ઈબ્રાહિમની સૂચના પર કરવામાં આવ્યા હતા. કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું. બ્લાસ્ટ પહેલા જેમની પસંદગી કરવામાં આવી હતી તેમને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં સંડોવાયેલા અબુ સાલેમ અને ફારૂક ટકલા જેવા લોકો ઝડપાઈ ગયા છે. તે જ સમયે, આ વિસ્ફોટોનો સૌથી મોટો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

આ પણ વાંચો: Maharashtra: સ્પેશિયલ NIA કોર્ટે CBIને સચિન વાજેની પૂછપરછ કરવાની આપી મંજૂરી, 15 અને 16 ફેબ્રુઆરીએ થશે પૂછપરછ

આ પણ વાંચો: Maharashtra: ભાજપના ક્યા સાડા ત્રણ નેતા જેલમાં જવાના છે, સંજય રાઉત કાલે જણાવવાના છે, નાના પટોલેએ કહ્યું કે તેઓ નામ જાણે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">