AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ

આ મામલો મુંબઈમાં કાલાચોકીના ફેરબંદર વિસ્તારમાં સંઘર્ષ સદનની ઈમારતનો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ
પોલીસ - પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:52 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજધાની મુંબઈ (Mumbai) માં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવ્યા બાદ એક મહિલાએ તેની ત્રણ મહિનાની પુત્રીને પાણીની ટાંકીમાં ડુબાડી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 36 વર્ષીય આરોપી મહિલાએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે છોકરીનું કોઈ અજાણી મહિલા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું કે તે મંગળવારે ઘરે આવી હતી અને તેને નશીલો પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો. જે બાદ તેના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. માતાની ફરિયાદના આધારે પોલીસે અપહરણની એફઆઈઆર નોંધી હતી.

આ મામલો મુંબઈના કાલાચોકીના ફેરબંદર વિસ્તારમાં સંઘર્ષ સદનની ઈમારતનો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મહિલાની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે શંકાસ્પદ મહિલાનો સ્કેચ પણ બહાર પાડવામાં આવ્યો હતો. શંકાસ્પદને શોધવા માટે ટીમો બનાવવામાં આવી હતી અને વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગુરૂવારે ફરિયાદી અને તેના પતિને ઘટના વિશે વધુ વિગતો મેળવવા માટે બોલાવ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો

આ કિસ્સામાં, મુંબઈ પોલીસે હવે માહિતી આપી છે કે 3 મહિનાની પુત્રીને પાણીની ટાંકીમાં ડૂબાડીને મારી નાખનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તેણે કહ્યું કે આરોપી મહિલાને પહેલાથી જ 8 વર્ષની પુત્રી છે અને તેના સાસરિયાઓ તેના પર પુત્ર પેદા કરવા માટે દબાણ કરી રહ્યા હતા. હાલ મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે તેણે જ બાળકીની હત્યા કરી હતી, જેના પછી તે પોતાની જાતને રોકી ન શકી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે ખુલાસો કર્યો હતો કે તેણે બાળકીને ઘરની અંદરના લોફ્ટમાં રાખેલી પાણીની ટાંકીમાં ફેંકી દીધું હતું. આ ટાંકી ઘરમાં રાખવામાં આવી છે.

પુત્રની ઈચ્છાથી સાસરિયાઓ મહિલાને હેરાન કરતા હતા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલા આરોપીના લગ્ન 2011માં થયા હતા અને તેને 2013માં એક પુત્રી જન્મી હતી. જ્યારે મહિલા બીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તેના સાસરિયાઓએ ગર્ભપાત કરાવવા દબાણ કર્યું. એ જ રીતે, મહિલાને વધુ ત્રણ ગર્ભપાત કરાવવાની ફરજ પાડવામાં આવી હતી અને જ્યારે તે ફરીથી ગર્ભવતી થઈ, ત્યારે તેને ગર્ભાવસ્થા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી.

આ પછી, મહિલાને ઓગસ્ટમાં સિઝેરિયન કરવાની ફરજ પડી અને તેણે એક બાળકીને જન્મ આપ્યો. જ્યાં પરિવારે મહિલાનો બહિષ્કાર કર્યો હતો. તે એકલી હોવાથી તેના માતા-પિતા તેની સાથે રહેવા આવ્યા હતા. પોલીસે બાળકીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">