AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : ડોક્ટરે સફરજન ખાવાની ના પાડી તો, દર્દીએ ડોક્ટરને છરીના ઘા ઝીક્યાં

ડોક્ટરે દર્દીને સફરજન ખાવાની ના પાડતા દર્દીએ બે ડોકટરો પર છરીથી હુમલો કર્યો હતો. હાલ બંન્ને ડોકટરો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્ર : ડોક્ટરે સફરજન ખાવાની ના પાડી તો, દર્દીએ ડોક્ટરને છરીના ઘા ઝીક્યાં
When the doctor refused to eat the apple, the patient stabbed the doctorImage Credit source: simbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 1:50 PM
Share

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીએ બે ડોક્ટરો ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દર્દીએ ડોક્ટરના પેટમાં છરી મારી છે. જ્યારે તે ડોક્ટરને બચાવવા આવેલા અન્ય ડોક્ટરની આંગળી પર છરીનો ઘા માર્યો હતો. આ બંને તબીબોને ગંભીર અવસ્થામાં એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના બુધવારની રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ શ્રી વસંતરાવ નાઈક સરકારી હોસ્પિટલમાં થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી દર્દીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં મુજબ, આરોપીએ ડોક્ટર પર ફળ કાપવાની છરીથી હુમલો કર્યો હતો.

યવતમાલના એસપી પવન બંસોડએ જણાવ્યું કે પેટમાં ઈન્ફેક્શનના હોવાથી દર્દીને બુધવારે સવારે સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમા રાત્રે નવ વાગ્યે બે રેસિડેન્ટ ડોક્ટરો રાઉન્ડ પર આવ્યા હતા ત્યારે આ દર્દીએ તેમને પૂછ્યું કે શું હું સફરજન ખાઈ શકું છુ ? પરંતુ ડોક્ટરે તેની તપાસ્યા કર્યા પછી તેને સફરજન ખાવાની ના પાડી હતી. જેના કારણે આરોપીને ગુસ્સે આવ્યો હતો. ગુસ્સામા જ તેને ડોક્ટર પર એ જ છરીથી હુમલો કર્યો હતો. છરીનો ઘા ડૉક્ટરને પેટમા માર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને જોઈને સાથી ડોક્ટર તેને બચાવવા માટે આવ્યો તેના પર પણ દર્દીએ હુમલો કર્યો હતો.

આરોપીઓ સામે ગુનો નોંધ્યો

એસપી પવન બંસોડે જણાવ્યું કે પીડિત ડોક્ટરોના નિવેદન નોંધ્યા પછી જ તેમણે આરોપી દર્દી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી અત્યારે સારવાર હેઠળ છે જેના કારણે પોલીસે તેને હાલ કસ્ટડીમાં લીધો છે. કસ્ટડીમા પણ આરોપીની સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એસપી પવન બંસોડે જણાવ્યું કે પોલીસ આ તમામ ઘટનાની તપાસ હાથ ધરેલી છે. હજી તેમણે ખબર નથી પડી કે આરોપી દર્દીએ ક્યાં સંજોગોમાં આ ઘટનાને અંજામ આપ્યો છે.

ડોક્ટરની હાલત ગંભીર

મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સે એક નિવેદનમાં આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે આરોપી હુમલા પછી બંને ડોક્ટરો સરવાર હેઠળ છે. પરંતુ રેસિડેન્ટ ડોક્ટર જેપી એડવિનના પેટમાં છરી વાગવાથી તેની હાલત ગંભીર થઈ ગઈ છે. જોકે તેઅત્યારે ખતરાની બહાર છે પરંતુ તેમની હાલત હજી પણ નાજુક છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">