જમ્મુ-કાશ્મીરના DG જેલ હેમંત લોહિયાના ઘરમાંથી મળી લાશ, પોલીસે વ્યક્ત કરી હત્યાની આશંકા
એક પોલીસ અધિકારીએ (Police Officer) એક નિવેદનમાં પુષ્ટિ કરી કે, તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, તેનો સ્થાનિક સહાયક ઘટનાસ્થળેથી ફરાર છે.
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) જેલના ડીજી જેલ એચકે લોહિયા જમ્મુના ઉદયવાલામાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, પોલીસે લોહિયાનો મૃતદેહ તેના ઘરેથી કબજે કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉચ્ચ અધિકારીની શંકાસ્પદ હત્યાની ઘટના બની ત્યારે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. સત્તાવાર સૂત્રોએ રહસ્યમય સંજોગોમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. એક પોલીસ અધિકારીએ એક નિવેદનમાં મૃત્યુની પુષ્ટિ કરી અને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું કે, તેનો સ્થાનિક સહાયક ઘટનાસ્થળેથી ફરાર છે.
એક સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ સિંહે ડીજી જેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. “જમ્મુ અને કાશ્મીર પોલીસ પરિવાર તેમના વરિષ્ઠ અધિકારીના મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કરે છે,” તેમણે કહ્યું. 1992 બેચના આઈપીએસ અધિકારીને આ વર્ષે ઓગસ્ટમાં ડીજી જેલ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા જેકે ન્યૂઝલાઈને ન્યૂઝ એજન્સી કેડીસીને ટાંકીને જણાવ્યું હતું કે, સ્થળની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના શંકાસ્પદ હત્યાનો મામલો છે.
ફોરેન્સિક અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર હાજર
જમ્મુના ADGP મુકેશ સિંહે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હેમંત લોહિયા ડીજી જેલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. ક્રાઈમ સીનની પ્રથમ તપાસમાં હત્યાનો આ શંકાસ્પદ મામલો સામે આવ્યો છે. અધિકારીની ઘરેલું મદદગારી ફરાર છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ અને ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.” તેમણે કહ્યું કે, તપાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એડીજીપીએ કહ્યું કે-સ્થાનિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે.
હત્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ
આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. જણાવવામાં આવ્યું છે કે ડીજીપી દિલબાગ સિંહ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ, IPS ઓફિસર લોહિયાના ગળામાં ચાકુ મારવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની શંકાસ્પદ હત્યા બાદ તેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.