વડોદરામાં નકલી મા અમૃતમ કાર્ડ કૌભાંડમાં આરોગ્ય કર્મચારીની સંડોવણી છે કે નહી તેની તપાસ તેજ
વડોદરા જિલ્લામાં નકલી મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના કૌભાંડમાં તપાસ તેજ કરી દેવાઈ છે. તેવામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય વિભાગ કે એજન્સીનો કોઈપણ કર્મયારી આ કૌભાંડમાં સંડોવાયેલો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગના ધ્યાન પર બોગસ આરોગ્ય કાર્ડની […]
વડોદરા જિલ્લામાં નકલી મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના કૌભાંડમાં તપાસ તેજ કરી દેવાઈ છે. તેવામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય વિભાગ કે એજન્સીનો કોઈપણ કર્મયારી આ કૌભાંડમાં સંડોવાયેલો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગના ધ્યાન પર બોગસ આરોગ્ય કાર્ડની વિગતો સામે આવતાં તેમણે આ અંગે પોલીસ કમિશનરને જાણ કરી હતી. જે બાદ પોલીસે કુલ 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં નરેશ જગજીવન, મનોજ કંચન સોની અને જીતેન્દ્ર ડાહ્યાભાઈનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વડોદરાના જ રહેવાસી છે.
મહત્વનું છે કે આજવા રોડ પર આવેલા સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીએ કરેલી તપાસમાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે 7 એજન્ટોએ 35 લોકોના બોગસ આવકના દાખલા બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં 7 એજન્ટો સામે ગુનો નોંધાતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. આવકના બોગસ દાખલા અંગે પોલીસે તપાસ શરૂ કરતાં એજન્ટો દ્વારા લાભાર્થીઓ પાસેથી 2 હજારથી 2500 રૂપિયા લઈ આવકના નકલી દાખલા તૈયાર કરીને અસલી મા કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. આ અંગે લાભાર્થીઓનાં નિવેદન પણ લેવાયાં હતાં. જેમાં તેઓએ એજન્ટોને આવકના કોઈ પ્રમાણપત્રો ન આપ્યા હોવાનું જણાવ્યું હતું.