AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર

આડા સંબંધોની શંકાએ એક હસતા પરિવારને વિખેરી નાખ્યો છે. અહીં એક પતિએ ગેરકાયદે સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:56 PM
Share

બિહારના આરામાં આડા સંબંધોની શંકાએ એક હસતા પરિવારને વિખેરી નાખ્યો છે. અહીં એક પતિએ ગેરકાયદે સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં ભોજપુર જિલ્લાના બધરા પોલીસ સ્ટેશન વિસ્તારના મણિછાપરા ગામમાં ગુરુવારે મોડી રાત્રે પતિએ પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પત્નીને ગોળી માર્યા બાદ યુવકે તેના માથામાં પણ ગોળી મારી હતી. જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, નજીકથી ગોળી માર્યા બાદ માથામાં ગોળી વાગતા પતિ-પત્ની બંનેના મોત થયા છે.

આ ઘટના બાદ મોતના કારણને લઈને વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પત્નીની હત્યા કરીને પતિએ કેમ કર્યો આપઘાત? કે અન્ય કોઈએ બંનેની હત્યા કરી છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતકોએ 2013માં લગ્ન કર્યા હતા. તેમને પાંચ વર્ષની પુત્રી પણ છે. ઘટના અંગે મૃતકના મોટા ભાઈએ જણાવ્યું કે, તેના નાના ભાઈને તેની પત્ની પર કોઈ અન્ય સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે બંને વચ્ચે દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો. આ વિવાદને કારણે તેના નાના ભાઈએ પહેલા તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી, પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી.

શુક્રવારે સવારે જ્યારે બંને મોડે સુધી રૂમમાંથી બહાર ન નીકળ્યા ત્યારે પરિવારજનોએ લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો અને અવાજ કર્યો. પરંતુ દરવાજો ન ખોલતાં દરવાજો તોડતાં બંને લોહીથી લથપથ પલંગ પર મૃત હાલતમાં પડેલા જોયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. મહિલાના ભાઈએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે 20 દિવસ પહેલા પણ પારિવારિક વિવાદને લઈને ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">