આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર

આડા સંબંધોની શંકાએ એક હસતા પરિવારને વિખેરી નાખ્યો છે. અહીં એક પતિએ ગેરકાયદે સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:56 PM

બિહારના આરામાં આડા સંબંધોની શંકાએ એક હસતા પરિવારને વિખેરી નાખ્યો છે. અહીં એક પતિએ ગેરકાયદે સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં ભોજપુર જિલ્લાના બધરા પોલીસ સ્ટેશન વિસ્તારના મણિછાપરા ગામમાં ગુરુવારે મોડી રાત્રે પતિએ પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પત્નીને ગોળી માર્યા બાદ યુવકે તેના માથામાં પણ ગોળી મારી હતી. જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, નજીકથી ગોળી માર્યા બાદ માથામાં ગોળી વાગતા પતિ-પત્ની બંનેના મોત થયા છે.

આ ઘટના બાદ મોતના કારણને લઈને વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પત્નીની હત્યા કરીને પતિએ કેમ કર્યો આપઘાત? કે અન્ય કોઈએ બંનેની હત્યા કરી છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતકોએ 2013માં લગ્ન કર્યા હતા. તેમને પાંચ વર્ષની પુત્રી પણ છે. ઘટના અંગે મૃતકના મોટા ભાઈએ જણાવ્યું કે, તેના નાના ભાઈને તેની પત્ની પર કોઈ અન્ય સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે બંને વચ્ચે દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો. આ વિવાદને કારણે તેના નાના ભાઈએ પહેલા તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી, પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શુક્રવારે સવારે જ્યારે બંને મોડે સુધી રૂમમાંથી બહાર ન નીકળ્યા ત્યારે પરિવારજનોએ લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો અને અવાજ કર્યો. પરંતુ દરવાજો ન ખોલતાં દરવાજો તોડતાં બંને લોહીથી લથપથ પલંગ પર મૃત હાલતમાં પડેલા જોયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. મહિલાના ભાઈએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે 20 દિવસ પહેલા પણ પારિવારિક વિવાદને લઈને ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">