Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર

અબુ સાલેમને ખંડણીનાં પૈસા સમયસર ન મળ્યા તો તેણે નક્કી કર્યું કે ગુલશન કુમારને મારી નાખવો પડશે. આ માટે ત્રણ શૂટરોને રાખવામાં આવ્યા હતા અને તેણે જુહુના એક મંદિરની બહાર 12 ઓગસ્ટ 1997 ની સવારે, ગુલશનકુમારના માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.

Gulshan Kumar Murder Case: રઉફ મર્ચન્ટની સજા યથાવત, રમેશ તૌરાની વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મહારાષ્ટ્ર સરકારની અપીલ નામંજૂર
Gulshan Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 2:07 PM

ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં (Gulshan Kumar Murder Case) બોમ્બે હાઈકોર્ટે (Bombay HC) આજે પોતાનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે રૌફ મર્ચન્ટની સજાને યથાવત રાખી છે. જ્યારે રમેશ તૌરાનીને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટને તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તેથી જ તોરાની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજી નામંજૂર કરવામાં આવી હતી.

ગુલશન કુમાર હત્યા કેસમાં અન્ય આરોપી અબ્દુલ રાશીદને બોમ્બે હાઈકોર્ટે દોષી ઠેરવ્યો છે. અગાઉ તેને સેશન્સ કોર્ટે બરી કરી દિધો હતો. દાઉદનો માણસ અબ્દુલ રશીદને બોમ્બે હાઈકોર્ટે દોષી ઠહેરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. 12 ઓગસ્ટ, 1997 ના રોજ ગુલશન કુમાર મંદિરમાંથી ઘરે પરત ફરી રહ્યો હતા ત્યારે કેટલાક બદમાશોએ ગુલશન કુમાર પર ગોળીબાર કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અબ્દુલ રશીદને આજીવન કેદની સજા

ગુલશન કુમારનું મોત દરેક માટે એકદમ આઘાતજનક હતું. કોઈએ વિચાર્યું પણ ન હતું કે આટલી મોટી હસ્તીને કોઈ ખુલ્લેઆમ શૂટ કરીને ચાલી જશે. ગાયક નદીમના કહેવા પર ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રીમાં નામ ઘટવાનાં ગુસ્સા પર નદીમના મગજમાં એટલો પ્રબળ ગુસ્સો રહ્યો કે તેણે ગુલશન કુમારને મારી નાખવાનું મન બનાવી લીધું.

આ કામ માટે તેણે અન્ડરવર્લ્ડની મદદ લીધી હતી. તે દિવસોમાં બોલિવૂડ પર અન્ડરવર્લ્ડનો સીધો પ્રભાવ હતો. દાઉદ ઇબ્રાહિમ દુબઈથી પોતાનો ધંધો ચલાવતો હતો અને તે સમયે અબુ સાલેમ દાઉદનો માણસ હતો. નદીમના ફોન ગયા પછી તેણે દુબઇમાં એક બેઠક યોજી ગુલશન કુમારને ફોન કર્યો.

અબુ સાલેમ પર ન ચાલ્યો ખૂનનો કેસ

અબુ સાલેમે ગુલશન કુમારને દસ કરોડ રૂપિયાની ખંડણી એટલે કે પ્રોટેક્શન મની અને નદીમને કામ આપવાની ધમકી આપી હતી. ગુલશન કુમારે ગભરાઇને આ વાત તેમના નાના ભાઈ કિરણ કુમારને જણાવી. એવું કહેવામાં આવે છે કે તેના થોડા દિવસો પહેલા ગુલશન કુમારે દાઉદ ગેંગને એક હપ્તો આપ્યો હતા. તેઓ ફરીથી હવે તેને પૈસા આપવા માંગતા ન હતા. તેથી જ તેમણે આ ધમકી પર ચૂપ રહેવું યોગ્ય માન્યું.

જ્યારે અબુ સાલેમને આ પૈસા સમયસર ન મળ્યા તો તેણે નક્કી કર્યું કે ગુલશન કુમારને મારી નાખવો પડશે. આ માટે ત્રણ શૂટરોને રાખવામાં આવ્યા હતા અને તેણે જુહુના એક મંદિરની બહાર 12 ઓગસ્ટ 1997 ની સવારે ગોળીબાર કર્યો હતો. ગુલશન કુમાર તે વખતે ત્યાંથી પૂજા કરીને નિકળી રહ્યા હતા. ગુલશનજીનાં માથામાં ગોળી વાગી હતી, જ્યારે તેમણે બચવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય બે શૂટરોએ તેમના પર 16 ગોળી ચલાવી હતી.

જ્યારે તેમના ડ્રાઇવરે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે શૂટરોએ તેને પણ ગોળી મારી દિધી હતી. જે બાદ ગુલશન કુમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">