મહિલાને બેંકમાંથી આવ્યો SMS અને ખાતામાંથી ઉડી ગયા 1 લાખ રૂપિયા, કરી હતી આ એક ભૂલ

|

Jan 29, 2023 | 5:29 PM

ગુરૂગ્રામમાં એક મહિલાને એક બેંક SMS મળ્યો જે નકલી હતો અને તેણે 1 લાખ રૂપિયા ગુમાવ્યા. એક મહિલા સાથે 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

મહિલાને બેંકમાંથી આવ્યો SMS અને ખાતામાંથી ઉડી ગયા 1 લાખ રૂપિયા, કરી હતી આ એક ભૂલ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

લોકોને પોતાના જાળામાં ફસાવવા માટે સાયબર ગુનેગારો અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તાજેતરના એક કેસમાં ગુરૂગ્રામમાં એક મહિલાને એક બેંક SMS મળ્યો જે નકલી હતો અને તેણે 1 લાખ રૂપિયા ગુમાવ્યા. એક મહિલા સાથે 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. પીટીઆઈ અનુસાર, પીડિત માધવી દત્તાને 21 જાન્યુઆરીએ તેના મોબાઈલ પર એક મેસેજ મળ્યો, જેમાં લખ્યું હતું, “પ્રિય યુઝર્સ, તમારું બેંક ખાતું આજે બંધ થઈ જશે, અહીં લિંક પર ક્લિક કરો, મોબાઈલ નંબર અને પાન કાર્ડ નંબર દાખલ કરો.”

આ પણ વાંચો: ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI દ્વારા જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

મહિલાએ કરી હતી આ ભૂલ

પોલીસને કરેલી ફરિયાદમાં દત્તાએ કહ્યું કે તેણે લિંક પર ક્લિક કર્યું, જે તેને વેબપેજ પર લઈ ગઈ જ્યાં તેને કેટલીક વિગતો ભરવાનું કહેવામાં આવ્યું. વિગતો દાખલ કર્યા પછી, તેને મોબાઇલ નંબર પર એક OTP મળ્યો.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પોતાની ઓનલાઈન ફરિયાદમાં દત્તાએ જણાવ્યું હતું કે, “મેં OTP દાખલ કરતાની સાથે જ મારા ખાતામાંથી રૂ. 1 લાખ કપાઈ ગયા હતા. મેં સાયબર હેલ્પલાઈન 1930 પર ઘણી વખત કોલ કર્યો હતો પરંતુ તે કનેક્ટ થયો નહોતો અને અંતે સાયબર પોર્ટલ પર ગઈ અને ફરિયાદ નોંધાવી.”

તેની ફરિયાદ બાદ, શુક્રવારે પૂર્વ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમમાં આઈપીસી કલમ 419 (ઢોંગ દ્વારા છેતરપિંડી) અને 420 (છેતરપિંડી) હેઠળ અજાણ્યા છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તપાસ અધિકારી એએસઆઈ મનોજ કુમારે જણાવ્યું હતું કે, “એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.”

ભૂલથી પણ આ કામ ન કરો

લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા હોય તેવા અનેક દાખલાઓમાંનો આ એક છે. એસએમએસ, ઈમેલ અથવા તો વોટ્સએપ દ્વારા મળેલી કોઈપણ લિંક પર ક્લિક કરતી વખતે હંમેશા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. આ લિંક્સ સરળતાથી તમારી સાથે છેતરપિંડી કરવા અને તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે.

આ કૌભાંડો કેવી રીતે આચરવામાં આવે છે તેની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ છે કે સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે મેસેજ મોકલશે. આ મેસેજ સેવાની નિષ્ફળતા અથવા દસ્તાવેજો અથવા અન્ય કોઈપણ દસ્તાવેજોના અભાવને કારણે બેંક એકાઉન્ટ બંધ કરવા સંબંધિત હોઈ શકે છે.

હંમેશા યાદ રાખો કે તમારો એકાઉન્ટ નંબર, ATM PIN અને OTP જેવી વિગતો અન્ય લોકો સાથે શેર ન કરો. ઉપરાંત, ઇન્ટરનેટ દ્વારા તમારા એકાઉન્ટની વિગતો અપડેટ કરવાનું ટાળો. જો શક્ય હોય તો આ માટે બેંકની ઓફિસમાં જાવ.

Next Article