AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISKCON Car Accident Breaking News : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતે 10 વર્ષ જૂની ઘટનાની યાદ કરાવી તાજી, જાણો શું છે બંને ઘટના

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક જેગુઆર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આ ઘટનાએ 10 વર્ષ જૂના હીટ એન્ડ રન કેસની યાદ તાજી કરાવી છે.

ISKCON Car Accident Breaking News : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતે 10 વર્ષ જૂની ઘટનાની યાદ કરાવી તાજી, જાણો શું છે બંને ઘટના
ISKCON Bridge Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 12:28 PM
Share

ISKCON Car Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ (ISCON Bridge) પર ગઈકાલે મોડી રાત્રે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ડમ્પર અને થાર ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકો પર જેગુઆર ગાડી ફરી વળતાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત સર્જનાર તથ્ય પટેલ બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. ત્યારે આ ઘટનાએ ફરી વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસની યાદ તાજી કરાવી છે.

આ પણ વાંચો Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો બન્યા કાળનો કોળિયો, જાણો કોણ હતા આ તમામ લોકો

2013માં વિસ્મય શાહની BMWની ટક્કરે બે બાઇક સવારના મોત થયા હતા

વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જઈ રહેલા વિસ્મયે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યાર બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જે બાજ 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત મૃતકોના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.

ઈસ્કોન બ્રિજ પર જેગુઆરની અડફેટે 9 લોકોના મોત

ત્યારે ઈસ્કોન બ્રિજ પર જેગુઆરની અડફેટે 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ કેટલા સમયમાં જેલના સળિયા પાછળ ધકેલાશે? તેમજ તથ્ય પટેલને કેટલી સજા થશે? આ કેસ પાછળ કેટલા ધમપછાડા થાય છે અને બચાવ માટે કેટલી બાનાબાજી થાય છે, તે તો આવનાર સમય જ બતાવશે. કારણ કે અકસ્માત સર્જનાર તથ્ય પટેલનો પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

આ બધાની વચ્ચે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શહેરના રસ્તાઓ પર બેફામ સ્પીડે કાર ચલાવતા લોકોને જાણે હવે પોલીસનો પણ ડર નથી રહ્યો. શહેરમાં કારની ઝડપ પર મર્યાદાના નિયમનો પણ પાલન નથી થઈ રહ્યું. તો એસ.જી હાઇવે અકસ્માત ઝોન છતાં કાર્યવાહીમાં ઢીલાશ જોવા મળી રહી છે. હવે આ કેસમાં પોલીસ કેટલી ઝડપી કાર્યવાહી કરી આ 9 લોકોના પરિવારોને ન્યાય અપાવે છે તે હવે જોવાનું રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">