Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી.

Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ- સરદાર નગરમાં મર્ડર ( પ્રતિકાત્મક તસ્વીર)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:00 PM

Ahmedabad : શહેરમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં હત્યા (Murder) કરાઈ હોવાની ઘટના સામે આવી છે. સરદારનગરમાં (sardar nagar) આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા (Accused)કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે.

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી. જે દુકાન માલિક અને હત્યારા આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેને લઈ આરોપી શિવા વાઘેલા, વિષ્ણુ વાઘેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. સાંજે ધમકી આપ્યા બાદ થોડીક વારમાં આરોપીઓ આધેડ અર્જુન સોલંકીને મૂઢ માર માર્યો. જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કર્યા.જે બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી.

ગણતરીની કલાકોમાં આરોપી કાકા-ભત્રીજાની પોલીસે ધરપકડ કરી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોલીસ ગિરફતમાં આવેલા કાકા શિવા વાઘેલા અને ભત્રીજા દિલીપ વાઘેલાની સરદાર નગર પોલીસે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી કાકા-ભત્રીજાએ આધેડ અર્જુનભાઈને મૂઢમાર મારતા હતા તેવામાં આરોપી શિવા વાઘેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાઘેલાએ લોંખડ પાઈપના ફટકા માર્યા હતા. જેથી આધેડ અર્જુનભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હત્યામાં ફરાર આરોપી વિષ્ણુ વાઘેલા,મહેશ વાઘેલા,કમલેશ વાઘેલા અને અમરત વાઘેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

શું છે હત્યાનું કારણ ?

આ હત્યાના કારણમાં દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હથિયાર સાથે આંતક મચાવ્યો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પરિવારે આરોપી સામે રક્ષણ માટે પોલીસ પાસે માંગ કરી. આમાંથી એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયા છે. એક પરિવારે ઘરનો મોભી ખોઈ દેતા ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મુ અંગદાન

આ પણ વાંચો : Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">