AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી.

Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ- સરદાર નગરમાં મર્ડર ( પ્રતિકાત્મક તસ્વીર)
Mihir Soni
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:00 PM
Share

Ahmedabad : શહેરમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં હત્યા (Murder) કરાઈ હોવાની ઘટના સામે આવી છે. સરદારનગરમાં (sardar nagar) આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા (Accused)કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે.

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી. જે દુકાન માલિક અને હત્યારા આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેને લઈ આરોપી શિવા વાઘેલા, વિષ્ણુ વાઘેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. સાંજે ધમકી આપ્યા બાદ થોડીક વારમાં આરોપીઓ આધેડ અર્જુન સોલંકીને મૂઢ માર માર્યો. જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કર્યા.જે બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી.

ગણતરીની કલાકોમાં આરોપી કાકા-ભત્રીજાની પોલીસે ધરપકડ કરી

પોલીસ ગિરફતમાં આવેલા કાકા શિવા વાઘેલા અને ભત્રીજા દિલીપ વાઘેલાની સરદાર નગર પોલીસે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી કાકા-ભત્રીજાએ આધેડ અર્જુનભાઈને મૂઢમાર મારતા હતા તેવામાં આરોપી શિવા વાઘેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાઘેલાએ લોંખડ પાઈપના ફટકા માર્યા હતા. જેથી આધેડ અર્જુનભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હત્યામાં ફરાર આરોપી વિષ્ણુ વાઘેલા,મહેશ વાઘેલા,કમલેશ વાઘેલા અને અમરત વાઘેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

શું છે હત્યાનું કારણ ?

આ હત્યાના કારણમાં દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હથિયાર સાથે આંતક મચાવ્યો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પરિવારે આરોપી સામે રક્ષણ માટે પોલીસ પાસે માંગ કરી. આમાંથી એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયા છે. એક પરિવારે ઘરનો મોભી ખોઈ દેતા ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મુ અંગદાન

આ પણ વાંચો : Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">