AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અંકિત પરમાર અને જયેશ પરમાર અને એક સગીર હતો. જેઓને પોલીસે રાતો રાત ઘટનાના ગણતરીના કલાકમાં ઝડપી લીધા. જેની તપાસ કરતા સામે આવ્યું કે પહેલો બનાવ રીક્ષા ઓવર ટેક કરતા બન્યો હતો.

Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા
અમદાવાદ-અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક
Darshal Raval
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:52 PM
Share

18 વર્ષની ઉંમરે લોકો આગળના જીવનમાં શુ કરવું કેવી સિદ્ધિ હાંસલ કરવી તે નક્કી કરતા હોય છે. પણ અમરાઈવાડીમાં બે યુવાનો અને એક સગીરે ગુનાનો રસ્તો અજમાવ્યો. જોકે તેમની વધુ ન ચાલી અને પહેલા જ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસે તેમને ઝડપી જેલ હવાલે કર્યા.

બુધવારની રાત અમરાઈવાડીમાં આતંકની રાત બની ગઈ હતી. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે અમરાઈવાડી વિસ્તારમાં એક જ રાતમાં 4 અલગ અલગ સ્થળે હુમલાની ઘટના સામે આવી. જે ઘટનામાં ચાર વ્યક્તિ ઘાયલ થયા. જે અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમરાઈવાડી વિસ્તારમાં ચાર સ્થળે બનાવ બન્યા જે બનાવમાં 1. જીગર સોલંકી જે આરોપી જયેશનો કૌટુંબિક ભાઈ છે તેના પર મસ્તીમાં હુમલો કર્યો. 2. વીર બહાદુર પર પોસ્ટ ઓફિસ પાસે હુમલો કર્યો 3. મેહુલ પરમાર પર અજય ટેનામનેટ રોડ પર હુમલો કર્યો જ્યાં મેહુલનો મિત્ર પવન પટેલ પણ ઘાયલ 4. યશવંત પટેલ પર ભીલવાળા વિસ્તારમાં હુમલો કર્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અંકિત પરમાર અને જયેશ પરમાર અને એક સગીર હતો. જેઓને પોલીસે રાતો રાત ઘટનાના ગણતરીના કલાકમાં ઝડપી લીધા. જેની તપાસ કરતા સામે આવ્યું કે પહેલો બનાવ રીક્ષા ઓવર ટેક કરતા બન્યો હતો. બાદમાં અન્ય બનાવમાં ઘાયલ રાહદારી તરીકે જતા હતા અને તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. જે ઘટનામાં બે ઘાયલને એલજી હોસ્પિટલમાં આઉટડોર સારવાર અપાઈ તો બે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે ઘટના અંગે યશવંત પટેલે ફરિયાદ આપતા પોલીસે હુમલો કરનાર બને નવ યુવાન અને સગીરને ઝડપી સીસીટીવી મેળવવા સહિત આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી. તો ઘટનાને પગલે અન્ય આ પ્રકારની ઘટના ન બને માટે પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધારવા સહિત ગેરકાયદે પોતાની પાસે હથિયાર રાખનાર સામે કડક કાર્યવાહી શરૂ કર્યાનું નિવેદન આપ્યું.

હાલ તો અમરાઈવાડી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જોકે અમરાઈવાડી વિસ્તારમાં અગાઉ આવા અનેક બનાવ બની ચુક્યા છે. અને હવે આ બનાવ બન્યો. જેના પરથી લાગી રહ્યું છે કે આરોપીઓ પરથી પોલીસનો ખોફ ઓછો થઈ રહ્યો છે. નેથી લૂખા તત્વોને ખુલો દોર મળ્યો છે જેને કંટ્રોલમાં લેવો તેટલો જ જરૂરી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">