Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અંકિત પરમાર અને જયેશ પરમાર અને એક સગીર હતો. જેઓને પોલીસે રાતો રાત ઘટનાના ગણતરીના કલાકમાં ઝડપી લીધા. જેની તપાસ કરતા સામે આવ્યું કે પહેલો બનાવ રીક્ષા ઓવર ટેક કરતા બન્યો હતો.

Ahmedabad : અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક, 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા
અમદાવાદ-અમરાઇવાડીમાં તોફાની તત્વોનો આતંક
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:52 PM

18 વર્ષની ઉંમરે લોકો આગળના જીવનમાં શુ કરવું કેવી સિદ્ધિ હાંસલ કરવી તે નક્કી કરતા હોય છે. પણ અમરાઈવાડીમાં બે યુવાનો અને એક સગીરે ગુનાનો રસ્તો અજમાવ્યો. જોકે તેમની વધુ ન ચાલી અને પહેલા જ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસે તેમને ઝડપી જેલ હવાલે કર્યા.

બુધવારની રાત અમરાઈવાડીમાં આતંકની રાત બની ગઈ હતી. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે અમરાઈવાડી વિસ્તારમાં એક જ રાતમાં 4 અલગ અલગ સ્થળે હુમલાની ઘટના સામે આવી. જે ઘટનામાં ચાર વ્યક્તિ ઘાયલ થયા. જે અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમરાઈવાડી વિસ્તારમાં ચાર સ્થળે બનાવ બન્યા જે બનાવમાં 1. જીગર સોલંકી જે આરોપી જયેશનો કૌટુંબિક ભાઈ છે તેના પર મસ્તીમાં હુમલો કર્યો. 2. વીર બહાદુર પર પોસ્ટ ઓફિસ પાસે હુમલો કર્યો 3. મેહુલ પરમાર પર અજય ટેનામનેટ રોડ પર હુમલો કર્યો જ્યાં મેહુલનો મિત્ર પવન પટેલ પણ ઘાયલ 4. યશવંત પટેલ પર ભીલવાળા વિસ્તારમાં હુમલો કર્યો

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલો કરનાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અંકિત પરમાર અને જયેશ પરમાર અને એક સગીર હતો. જેઓને પોલીસે રાતો રાત ઘટનાના ગણતરીના કલાકમાં ઝડપી લીધા. જેની તપાસ કરતા સામે આવ્યું કે પહેલો બનાવ રીક્ષા ઓવર ટેક કરતા બન્યો હતો. બાદમાં અન્ય બનાવમાં ઘાયલ રાહદારી તરીકે જતા હતા અને તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. જે ઘટનામાં બે ઘાયલને એલજી હોસ્પિટલમાં આઉટડોર સારવાર અપાઈ તો બે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે ઘટના અંગે યશવંત પટેલે ફરિયાદ આપતા પોલીસે હુમલો કરનાર બને નવ યુવાન અને સગીરને ઝડપી સીસીટીવી મેળવવા સહિત આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી. તો ઘટનાને પગલે અન્ય આ પ્રકારની ઘટના ન બને માટે પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધારવા સહિત ગેરકાયદે પોતાની પાસે હથિયાર રાખનાર સામે કડક કાર્યવાહી શરૂ કર્યાનું નિવેદન આપ્યું.

હાલ તો અમરાઈવાડી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જોકે અમરાઈવાડી વિસ્તારમાં અગાઉ આવા અનેક બનાવ બની ચુક્યા છે. અને હવે આ બનાવ બન્યો. જેના પરથી લાગી રહ્યું છે કે આરોપીઓ પરથી પોલીસનો ખોફ ઓછો થઈ રહ્યો છે. નેથી લૂખા તત્વોને ખુલો દોર મળ્યો છે જેને કંટ્રોલમાં લેવો તેટલો જ જરૂરી છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">