Ahmedabad: વિરમગામના નાની કિશોલ ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં 15થી વધુ ઇજાગ્રસ્ત
જૂથ અથડામણની ઘટનામાં ગામમાં બાઇક અને કાર સહિત કુલ 10થી વધુ વાહનોમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર માતાજીની માંડવી ઉપાડવાની બાબતે બોલાચાલી થતા બે જૂથ સામસામે આવી ગયા હતા.
અમદાવાદ (Ahmedabad) નજીક આવેલા વિરમગામમાં (viramgam) નળકાંઠાના નાની કિશોલ ગામમાં મોડી રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણની (Group Clash) ઘટના બની હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ, સાણંદ તથા બાવળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણની ઘટનામાં ગામમાં બાઇક અને કાર સહિત કુલ 10થી વધુ વાહનોમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર માતાજીની માંડવી ઉપાડવાની બાબતે બોલાચાલી થતા બે જૂથ સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં વિરમગામ નળસરોવરની પોલીસે (Police) તપાસ હાથ ધરી છે અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં નોંધાઈ છે જૂથ અથડાણની ઘટનાઓ
ખેડા (Kheda) જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા (Navratri 2022) પર પથ્થરમારો (Stone Pelting) કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા(Navratri 2022)પર પથ્થરમારો(Stone Pelting) કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. તહેવારો સમયે શાંતિ અને સદભાવનાને ખોરવનારા તત્વોની પોલીસે સરાજાહેર ધોલાઈ કરી. ખેડા એલસીબીના PI અશોક પરમાર સહિત પોલીસના જવાનોએ એક પછી એક તમામ આરોપીઓને ગામની વચ્ચે મુખ્ય ચોકમાં લાવીને સરભરા કરી. હતી. આરોપીઓએ ધોલાઈ બાદ બે હાથ જોડી ફરીથી આવી ભૂલ નહીં કરીએ તેમ ગામ લોકોની માફી પણ માગી હતી. સોમવાર રાતથી જ પોલીસની વિવિધ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
વડોદરામાં પણ ગત રોજ થઈ હતી જૂથ અથડામણ
વડોદરા જિલ્લાનાસાવલીમાં (Savli ) એક મંદિર પાસે આવેલા થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે હંગામો એટલો વધી ગયો કે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ (Vadodara) પહોંચી હતી અને અત્યાર સુધીમાં લગભગ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગના પી.આર.પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ માટે લોકોએ મંદિરની (Temple) નજીક સ્થિત થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.જેને લઈ બે જુથ આમને-સામને આવી ગયા હતા.