Ahmedabad: ફોટોમાં દેખાતો આ શખસ છે અક્ષય ભરવાડ. હાલ પોલીસે તેની બળાત્કાર અને હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરી છે. ઘટના એમ હતી કે, આ અક્ષય અને એક યુવતી એકબીજાના પ્રેમમાં હતા. પણ પરિવારજનોને જાણ થતાં યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. યુવતીએ નવું ઘર માંડતા જ તેણે અક્ષય સાથે સંપર્ક ન રાખ્યો.
પણ અક્ષય હજુય આ યુવતીના પ્રેમમાં પાગલ હતો. એક દિવસ પરિણીતાને સાસરેથી પિયર બોલાવી અને બાદમાં તે તેને ભગાડી લઈ ગયો હતો. પરતું બન્ને વચ્ચે મદભેદ થતા પ્રેમિકાએ પ્રેમીનો સાથ છોડી દીધો હતો જેથી પ્રેમીએ પ્રેમિકાને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બને પાંચેક વર્ષથી પ્રેમમાં હતા. પણ દોઢેક વર્ષથી ફરી અક્ષય આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે આ પરિણીતાને લઈને ભાગી ગયો ત્યારે અન્ય એક યુવતી અને યુવક મિત્ર પણ સાથે હતા. જે બંને પણ એકબીજાને પ્રેમ કરતા હતા. ભાગીને બને દ્વારકા, રાજકોટ, આબુ અંબાજી, રનુજા અને કચ્છ જેવી અલગ અલગ જગ્યાઓ પર લઈ ગયો હતો અને ત્યાં ગેસ્ટ હાઉસમાં અને ચાલુ ટ્રાવેલ બસમાં બળાત્કાર ગુજાર્યો હતો.
પરિણીતાએ ભાગવાનીના પાડી ત્યારે યુવકે હું મરી જઈશ તેવી ધમકી પણ આપી હતી. જ્યારે બળાત્કાર ગુજરાતી વખતે પણ ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે. તો બાદમાં અમદાવાદ આવ્યા ત્યારે પરિવારનો ડર લાગતા બને રેલવે ફાટક ગયા જ્યાં આરોપી અક્ષયએ સાથે મરી જવાનું કહી ઝેરની અડધી બોટલ પીધી અને બાદમાં પરિણીતાને પણ ઝેર પીવડાવ્યું. જોકે પરિવારજનો આવી જતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતા.
આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની થઈ ધરપકડ
અમદાવાદમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર અને મોટરસાયકલ વ્યવસ્થા સજજુએ કરી આપી હતી.
પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરતુ ફરાર થઈને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈને રહેતો હતો. ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, નાસિકના આશ્રમમાં આરોપી રોકાયો છે. જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો. આ ગુનામાં આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.
Published On - 5:25 pm, Fri, 3 September 21