AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બાઈક અથડાવા બાબતે ખાર રાખી પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો, પિતાનું મોત પુત્ર ઘાયલ, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ

Ahmedabad: નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પર બાઈક અથડાવા બાબતનો ખાર રાખી બોલાચાલી બાદ ત્રણ શકશોએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત થયું છે.

Ahmedabad: બાઈક અથડાવા બાબતે ખાર રાખી પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો, પિતાનું મોત પુત્ર ઘાયલ, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ
Symbolic image
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:23 PM
Share

Ahmedabad: નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પર બાઈક અથડાવા બાબતનો ખાર રાખી બોલાચાલી બાદ ત્રણ શકશોએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત થયું છે જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના નારોલમાં બાઇક અથડાતાં બોલાચાલી થઈ હતી અને બાદમાં સમગ્ર મામલાનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા માર માર મારવામાં આવતા સમગ્ર બનાવ હત્યામાં (Murder) પરિણમ્યો છે.

નારોલના સરદાર એસ્ટેટનાં પાછળના ભાગે વિવેક અને તેના પિતા લચ્છીરામ ચાલીને જઈ રહ્યા હતા તે દરમ્યાન બાઈક પર આવેલા ત્રણ શકશોએ વિવેક અને તેના પિતા પર છરી વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં પિતા લચ્છીરામનું મોત નિપજ્યું જ્યારે પુત્ર વિવેક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો બે દિવસ પહેલા રાતના સમયે વિવેક અને એના પિતા સરદાર એસ્ટેટના પાછળના રસ્તા પરથી ચાલીને જતા હતા ત્યારે સંદીપ અને સચિન નામના વ્યક્તિઓ સાથે બાઈક અથડાવા બાબતે ઝગડો થયો હતો. જે બાદ વિવેક અને તેના પિતા સરદાર એસ્ટેટનાં અંદરના રસ્તે પહોંચ્યા ત્યારે સંદીપ, સચિન તેમજ પ્રજ્ઞેશ ઉર્ફે કાળું ત્યાં પહોંચ્યા હતા અને વિવેક અને તેના પિતા પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે વિવેક અને તેના પિતા બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં પહોંચ્તા ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. સ્થાનિકોએ પિતા પુત્ર ને હોસ્પિટલ પહોચાડ્યા હતા. જોકે સારવાર દરમ્યાન પિતાનું મોત નિપજ્યું હતું. હાલ તો સમગ્ર મામલે વિવેકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી સંદીપ, સચિન અને પ્રજ્ઞેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">