Ahmedabad: મુકબધીર પત્નીએ પતિ પર છરી વડે કર્યો હુમલો, પોલીસે પત્નીની કરી ધરપકડ, જાણો શું છે ઘટના

Ahmedabad: નારોલ માં મુકબધીર દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નિએ પતિ પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: મુકબધીર પત્નીએ પતિ પર છરી વડે કર્યો હુમલો, પોલીસે પત્નીની કરી ધરપકડ, જાણો શું છે ઘટના
Ahmedabad: Deaf wife attacks husband with knife
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:46 PM

Ahmedabad: નારોલ માં મુકબધીર દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નિએ પતિ પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પતિને પત્ની પર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શકા હતી. જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ છરીથી હુમલો કર્યો હતો. પોલીસે મુકબધીર પત્નીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આ મહિલા આશાબેન વાણીયા છે. જેને પોતાના પતિની હત્યાનું ષડ્યંત્ર રચીને છરીથી હુમલો કર્યો. ઘટનાની વાત કરીએ તો આશાબેન અને તેના પતિ ભરતભાઇ વાણીયા મુકબધીર છે. ભરતભાઈને પત્નિ કોઈની સાથે અનૈતિક સબંધ હોવાની શકા હતી. જેથી બન્ને વચ્ચે ઝઘડો થતો હતો.

જેની અદાવત રાખીને આશાએ 1 જાન્યુઆરી ના રોજ પતિ ભરતને થેલો કોઈ લઈ ગયું હોવાનું કહીને નારોલ કેનાલ નજીક બોલાવ્યો અને છરીથી હુમલો કરી દીધો. ત્યારે ભરત પત્નીથી બચીને ભાગી ગયો. ઇજાગ્રસ્ત ભરતને સારવાર માટે એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નારોલ પોલીસે પત્ની આશા વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભરત વાણીયા અને આશા વાણીયા બન્ને મુકબધીર છે. તેમને બે સંતાન છે. એક વર્ષ પહેલાં ભરતભાઈને અકસ્માત થતા તેઓની નોકરી છૂટી ગઈ હતી. જ્યારે પત્ની અસલાલીમાં આવેલ એમેઝોન કંપનીના ગોડાઉનમાં મજૂરી કામ કરે છે. આ એમેઝોન કંપનીમાં કામ કરતા એક કર્મચારી સાથે આશા વીડિયો કોલિંગમાં ઈસરાથી અને વોટ્સએપ ચેટથી વાતો કરતી હતી.

જે ભરતભાઇને પસંદ નહતું. આશાનું તેના સહકર્મી સાથે સંબંધ હોવાની શંકા ભરતભાઇને હતી. જેથી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. આ ઝઘડાની અદાવત અને પતિનું કાસળ કાઢી નાખવા આશાએ હત્યાનું ષડ્યંત્ર રચીને ભરતભાઈને બોલાવ્યા હતા.

નારોલ પોલીસ પતિ પર હુમલા કેસમાં આશાની ધરપકડ કરી છે. આશા મુકબધીર હોવાથી એક્સપર્ટની મદદ લઈને તેની પૂછપરછ શરૂ કરી છે. આ હુમલા પાછળ ફક્ત આશાની ભૂમિકા હતી કે અન્ય કોઈ વ્યક્તિ પણ સડોવાયેલું છે તે મુદ્દે આરોપી આશાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Latest News Updates

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
g clip-path="url(#clip0_868_265)">