AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો

આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
Anand Nagar area murder case solved
Mihir Soni
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:43 PM
Share

Ahmedabad: આનંદ નગર વિસ્તારમાં શનિવારની રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આડાસંબંધની શંકા રાખી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે પડોશમાં રહેતા આરોપી સુરેશ વડગાની આનંદનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા હત્યારા પાડોશીનું નામ સુરેશ વડગા છે. આરોપી આનંદ નગરમાં આવેલ કૃષા ફ્લેટમાં રહે છે. આરોપીએ પાડોશમાં રહેતા સંજયભાઈ કેશવભાઈ નવલખાની પેટ અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘાં ઝીકી મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. હત્યા કરવા પાછળના કારણની જો વાત કરીએ તો આરોપીની પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ આરોપીને થતા સંજયભાઈ નવલખાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

રાત્રીના સમયે મૃતક સંજયભાઈ નવલખા તેમના ઘરે જતા હતા તે સમયે આરોપી સુરેશએ સોસાયટીમાં જાહેરમાં સંજય નવલખાને તીક્ષ્ણ હથિયાર વડે શરીર પર ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરીને બાદમાં તે ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી છૂટક મજૂરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આજ બાબત ને લઇને મૃતક અને આરોપી વચ્ચે માથાકૂટ પણ થઈ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બીજીતરફ મૃતક ના પુત્રની પોલીસે પૂછપરછ કરતાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીએ થોડાક સમય પહેલા મૃતક ના પુત્ર અને તેની પત્નીના આડાસંબંધની શંકા કરીને તેની સાથે પણ માથાકૂટ કરી હતી.

હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કેમ તેને લઈને પણ તપાસ શરું કરી છે.

આ પણ વાંચો: Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">