જાણો ફંગસ કેમ બદલે છે અલગ અલગ રંગ, શું છે તેનું કારણ,સંશોધનમાં થયો ખુલાસો

બ્લેક ફંગસ સહિતની ફંગસ રંગ કેમ બદલે છે આની પર એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં ફંગસના બદલાતા રંગ અને માહિતી આપવામાં આવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસીના ન્યુરોલોજી, ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સના પ્રોફેસર વિજયનાથ મિશ્રા સમજાવે છે કે ફંગસ પોતાને જીવીત રાખવા અને ફેલાવવા માટે રંગ (Colour) માં ફેરફાર કરે છે.

જાણો ફંગસ કેમ બદલે છે અલગ અલગ રંગ, શું છે તેનું કારણ,સંશોધનમાં થયો ખુલાસો
જાણો ફંગસ કેમ બદલે છે અલગ અલગ રંગ
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 10:41 PM

દેશમાં કોરોના રોગચાળા વચ્ચે બ્લેક ફંગસ(Fungus)ના કહેર બાદ વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે મધ્ય પ્રદેશના જબલપુરના નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજમાં કોરોના દર્દીમાં ક્રીમ રંગની ફંગસ મળી આવતા ચિંતા વધી ગઈ છે. જો કે બ્લેક ફંગસ સહિતની ફંગસ રંગ કેમ બદલે છે આની પર એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં ફંગસના બદલાતા રંગ અને માહિતી આપવામાં આવી છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસીના ન્યુરોલોજી, ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સના પ્રોફેસર વિજયનાથ મિશ્રા સમજાવે છે કે ફંગસ પોતાને જીવીત રાખવા અને ફેલાવવા માટે રંગ (Colour) માં ફેરફાર કરે છે. ફંગસની તીવ્રતા તેના રંગ દ્વારા નક્કી કરવામાં આવતી નથી. ઘણા પ્રકારની ફંગસ વિવિધ પ્રકારના રંગો પેદા કરે છે, જેમ કે ગુલાબી, લાલ, નારંગી, પીળી, લીલો અને ભૂખરી સહિતની અન્ય ફંગસ.

વ્હાઇટ રંગની ફંગસ(Fungus) સૂર્યના તીવ્ર પ્રકાશથી હળવી પણ થઈ શકે છે અને વરસાદ દ્વારા ધોવાય પણ જાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં કોઈપણ ફંગસમાં તેના પોતાના જૂથને વિકસિત કરવાની ક્ષમતા હોય છે. એકવાર તેનું જૂથ સંપૂર્ણ વિકસિત થઈ જાય અથવા એવી પરિસ્થિતિ આવી જાય કે જ્યારે તેને જીવીત રહેવા માટે પૂરતા પોષક તત્વો મળતા નથી તો તેના માયસિલિયમ (પ્રજનન માળખું) ભાગ અસ્તિત્વ માટે પોતાની અંદર કેટલાક ફેરફારો કરે છે. આ સ્થિતિમાં ફંગસ નવી કલોની છોડીને કેટલાક જુદા જુદા પદાર્થો બનાવવાનું શરૂ કરે છે અને ફૂગનો બદલાતો રંગ(Colour) આનું જ પરિણામ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ફંગસ રંગ કેવી રીતે બદલી શકે છે?

ડો.વિજનાથ મિશ્રા સમજાવે છે કે ફંગસ(Fungus)ની અંદર કેરોટિનોઇડ્સ નામના તત્વો છે. આ તેના રંગ (Colour) માટે જવાબદાર છે. ત્યાં ત્રણ પ્રકારના કેરોટિનોઇડ્સ છે. પ્રથમ બીટા કેરોટિન (નારંગી), ગામા કેરોટિન (નારંગી-લાલ), આલ્ફા કેરોટિન (નારંગી-પીળો) છે. આ રંગ મજબૂત સૂર્યપ્રકાશ અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ફંગસ  સામે રક્ષણાત્મક શિલ્ડ તરીકે કામ કરે છે. આને કારણે ફંગસ શરીરમાં તેનું અસ્તિત્વમાં વધારો કરે છે.

રંગહીન ફંગસ સૂર્ય પ્રકાશમાં મરી જાય છે

ડો. મિશ્રા સમજાવે છે કે ફંગસ(Fungus) માં જોવા મળતો રંગ તેની બાહ્ય દિવાલ પર સાયટોપ્લાઝમમાં જમા થાય છે. તેથી એમ કહી શકાય કે રંગીન ફંગસ બિન-રંગીન ફંગસ કરતા ઓછી ઘાતક અને આક્રમક હોય છે. આ કારણ છે કે રંગીન ફંગસની બાહ્ય દિવાલ હોય છે જેના કારણે તેઓ મરતી નથી.

વધતા દબાણ સાથે પણ રંગ બદલાય છે

નિષ્ણાતો કહે છે કે રોગચાળા દરમિયાન લોકો એન્ટિબાયોટિક્સનો વધુ ઉપયોગ કરે છે. આ ખરાબ બેક્ટેરિયાની સાથે તંદુરસ્ત બેક્ટેરિયાને પણ મારે છે. શરીરની નબળા પ્રતિરક્ષાનો લાભ લઈને ફંગસ શરીર પર હુમલો કરે છે, શરીરમાં પહેલેથી જ ઘણી દવાઓનો પ્રભાવ ટાળવા માટે ફંગસ તેના રંગ(Colour)માં પણ ફેરફાર કરે છે. તેના પરિણામ રૂપે રોગચાળામાં વિવિધ પ્રકારની ફંગસ જોવા મળે છે.

બધી ફંગસની સારવાર સમાન છે

ડો. મિશ્રા સમજાવે છે કે ફંગસનો રંગ ગમે તે હોય, તેની સારવારની પદ્ધતિ સામાન્ય રીતે એકસરખી હોય છે. આમાં એન્ટિફંગલ દવાઓ સાથે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન શામેલ છે. દવા અને તેની માત્રા દર્દીની સ્થિતિ અને ચેપની અસરના આધારે નક્કી કરવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ઘરે ફંગલ ઇન્ફેક્શનની સારવાર ન કરો. જો તમને હળવા લક્ષણો હોય તો પણ વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લો.જો કે આ અંગે એઈમ્સના ડિરેક્ટર ડો.રણ દીપ ગુલેરિયા કહ્યું છે કે ફંગસના રંગથી દર્દીએ કે સગાસબંધીઓએ ગભરાવાની જરૂર નથી.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">