Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોવેક્સિન માટે WHO ની મંજૂરી મળવી એ ગર્વની ક્ષણ, કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી: ડૉ. રણદીપ ગુલેરિયા

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અગાઉ ભારત એક રસી ઉત્પાદન કેન્દ્ર હતું, પરંતુ છેલ્લા 18 મહિનામાં આપણે બતાવ્યું છે કે આપણે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન પણ કરી શકીએ છીએ.

કોવેક્સિન માટે WHO ની મંજૂરી મળવી એ ગર્વની ક્ષણ, કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી: ડૉ. રણદીપ ગુલેરિયા
ડૉ.રણદીપ ગુલેરિયા (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:54 PM

કોવેક્સિનના (Covaxin) ઈમરજન્સી ઉપયોગ માટે WHO ની મંજૂરી મળવા પર, AIIMS ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ (AIIMS Director Dr. Randeep Guleria) કહ્યું કે આ આપણા દેશ માટે ગર્વની ક્ષણ છે. આપણને મેડ ઈન ઈન્ડિયા વેક્સિન માટે મંજૂરી મળી ગઈ છે. આ પહેલાં ભારત વેક્સિન મેન્યુફેક્ચરિંગ હબ હતું, પરંતુ છેલ્લા 18 મહિનામાં આપણે બતાવ્યું છે કે આપણે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું સંશોધન પણ કરી શકીએ છીએ.

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે એક અભ્યાસમાં જોયું કે જ્યારે પણ પ્રદૂષણનું સ્તર ઊંચું હોય છે, ત્યારે બાળકો અને પુખ્ત વયના લોકોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે ઈમરજન્સી મુલાકાતો થોડા દિવસો પછી વધી જાય છે. એ વાત ચોક્કસ છે કે પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ વધે છે. તેમણે વધુમાં એ પણ કહ્યું કે દર વર્ષે દિવાળી અને શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં પરાળી સળગાવવા, ફટાકડા ફોડવા, અન્ય કારણોસર દિલ્હી અને સમગ્ર ભારત-ગંગાના પટ્ટામાં સ્મોગ  બને છે અને ઘણા દિવસો સુધી વિઝિબિલિટી ખૂબ જ નબળી રહે છે. શ્વસનતંત્રના સ્વાસ્થ્ય પર તેની ઘણી અસર પડે છે.

‘કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી’

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

એઈમ્સના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, એવો ડેટા પણ આવી રહ્યો છે કે દર વર્ષે વાયુ પ્રદૂષણના સંપર્કમાં બાળકો પર લાંબા ગાળાની અસર પડે છે, તે તેમના ફેફસાના વિકાસ અને તેમની ફેફસાની ક્ષમતાને પણ અસર કરે છે. પ્રદૂષણ શ્વસન સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે, ખાસ કરીને ફેફસાના રોગો, અસ્થમા ધરાવતા લોકો પર, કારણ કે તેમની બિમારી વધુ બગડે છે. પ્રદૂષણ કોવિડના વધુ ગંભીર કેસ તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે માસ્ક પહેરવા જોઈએ, કારણ કે તે કોવિડ અને પ્રદૂષણ બંનેથી રક્ષણ કરવામાં મદદ કરશે.

શુક્રવારે દેશભરમાં નોંધાયા કોવિડ-19ના 12,729 નવા કેસ 

શુક્રવારે દેશમાં કોવિડ-19ના 12,729 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 221 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1.48 લાખ થઈ ગયા છે. મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,165 લોકો સંક્રમણથી સાજા થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,37,24,959 થઈ ગઈ છે.

આ પણ વાંચો : Maharashtra: ખરાબ આત્માનો પડછાયો હટાવવાના નામ પર ચુનો લગાવતો હતો ઠગ, 301 ગ્રામ સોના સાથે પોલીસે કરી ધરપકડ

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">