AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે વિવિધ વિભાગના કમિશનર અને કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરશે

નવા COVID-19 ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણ ઝડપથી ફેલાવાની શક્યતા પગલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આજે તમામ વિભાગીય કમિશનરો અને કલેક્ટર્સ સાથે સમીક્ષા બેઠક યોજશે.

Omicron Variant: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે વિવિધ વિભાગના કમિશનર અને કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરશે
Maharashtra CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 1:44 PM
Share

કોરોના(Corona)ના નવા વેરિઅન્ટ(New variant)ને લઇને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી છે. વિશ્વભરમાં સાવચેતી માટે કડક પગલા લેવાના શરુ કરી દેવાયા છે. ભારતમાં પણ અનેક સ્થળે સાવચેતી રુપ પગલા લેવાનું શરુ કરી દેવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે(Maharashtra CM Uddhav Thackeray) પણ આજે નવા વેરિઅન્ટથી સંક્રમણ ઝડપથી ફેલાવાની શક્યતા પગલે એક બેઠક કરશે. ઉદ્ધવ ઠાકરે આજે તમામ વિભાગીય કમિશનરો(Divisional Commissioners) અને કલેક્ટર્સ સાથે સમીક્ષા બેઠક યોજીને સતર્કતા માટે શું પગલા લેવા તેના પર ચર્ચા કરશે.

નિયમોનું પાલન ન કરનારને થશે દંડ મહારાષ્ટ્ર સરકારે શનિવારે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર (CAB)નું પાલન ન કરવા બદલ દંડની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ CABનું પાલન ન કરે તો તેને રૂ. 500નો દંડ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું ઉલ્લંઘન કોઈ સંસ્થાના પરિસરમાં કરશે તો તેને 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

નવી માર્ગદર્શિકા અનુસાર ખાનગી ટેક્સીઓ અથવા જાહેર પરિવહન વાહનોમાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ થશે, જ્યારે ટ્રાન્સપોર્ટ એજન્સીના માલિકને 10,000 રૂપિયાનો દંડ થશે. જો કોઈપણ સંસ્થા પોતે CABને અનુસરવામાં નિષ્ફળ જાય, તો તેને 50,000 રૂપિયા દંડ ભરવો પડશે અને નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતુ જોવા મળશે લોકડાઉન લગાવવામાં પણ આવી શકે છે.

પ્રવાસીઓના પ્રવેશ માટેના કડક નિયમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયમો અંગે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ જણાવ્યું કે સરકાર મુંબઈ નાગરિક સંસ્થા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે મળીને તેના પર કામ કરી રહી છે. એક સત્તાવાર સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી દેશોના તમામ પ્રવાસીઓને કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ પ્રવેશ અપાશે. જ્યારે રાજ્યમાં આવતા સ્થાનિક પ્રવાસીઓને સંપૂર્ણ રસી અથવા RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવનો 72 કલાકના સમયની અંદરનો રિપોર્ટ માન્ય રાખીને પ્રવેશ અપાશે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અગાઉના દિવસે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના મુસાફરો, જ્યાં નવા પ્રકારના કેસ મળી આવ્યા છે, તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને તેમના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

માર્ગદર્શિકામાં અન્ય નિયમ સાર્વજનિક કાર્યક્રમો, શો અથવા ઇવેન્ટમાં આયોજકો,સહભાગીઓ,દર્શકોએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જરુરી છે. દુકાનો, મોલ અને અન્ય સ્થળોએ પણ કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સંપૂર્ણ રસીકરણ કરાયેલુ ફરજીયાત રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સરકાર અથવા શાળાએ આપેલા ફોટો ID બતાવવા જરૂરી છે. પુખ્ત વ્યક્તિઓ કે જે કોઇ તબીબી કારણોસર રસી લઈ શકતા નથી તેમણે પણ તબીબી પ્રમાણપત્ર સાથે રાખવું જરુરી છે. બંધ જગ્યામાં મેળાવડાને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવશે. જ્યારે ખુલ્લા સ્થળોએ 25 ટકા ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!

આ પણ વાંચોઃ West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">